દિલ્હી: ગઈ કાલે દિલ્હીના અલીપુર(Alipur)માં પેઇન્ટ અને કેમિકલના વેરહાઉસમાં ભયંકર આગ(Fire) ફાટી નીકળી હતી, આ આગમાં 11 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
ગઈ કાલે સાંજે દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનાથી શોકનો માહોલ છે. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા જેના કારણે તેમની ઓળખ થઇ શકી નથી. ફેક્ટરી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલી છે, ઘટના સમયે ફેક્ટરીની અંદર રાબેતા મુજબ કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. ગુરુવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી ત્યાર બાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ કે કર્મચારીઓને બચવાની તક ના મળી.
દિલ્હી ફાયર વિભગના એક અધિકારીના જણાવ્યા અનુસાર આગની ઘટના સાંજે 5.25 વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. રાત્રે 9 કલાકે ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ મામલે તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે.
11 લોકોના મોત બાદ પણ હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, વધુ 2 લોકો ફસાયા હોવાની આશંકા છે.
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs
Go behind the scenes as popular Bollywood actresses transform into captivating Tawaifs! Explore the world of these talented women as they bring historical characters to life