ટોપ ન્યૂઝનેશનલ

Kejriwal Bail: અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને મોટી રાહત આપી છે, કોર્ટે તેમના વચગાળાના જામીન(Interim Bail) મંજૂર કર્યા છે. અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ મંગળવારે ચુકાદો અનામત રાખ્યો હતો, આજે સુપ્રીમ કોર્ટમાં પાંચ મિનિટથી ઓછા સમય માટે સુનાવણી થઇ હતી, આ દરમિયાન કેજરીવાલને વચગાળાની રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પહેલા કેજરીવાલ જેલની બહાર આવવાથી આમ આદમી પાર્ટી(AAP)ને મોટી રાહત મળી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના સુપ્રીમો દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા માની લોન્ડરિંગ કેસના આરોપો હેઠળ જેલમાં છે.

ઈડીએ આજે ગુરુવારે અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને નવું સોગંદનામું દાખલ કર્યું હતું. EDએ કહ્યું કે ચૂંટણી પ્રચાર જામીન માટે આધાર બની શકે નહીં. આ ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો કાયદાકીય અધિકાર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…