નેશનલ

સિનયર વકીલ હરીશ સાલ્વે સહિત 600 વકીલોની CJIને ચિઠ્ઠી, કહ્યું, ‘એક ખાસ ગ્રૂપનું ન્યાયપાલિકા પર દબાણ’

નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) યોજાવા જઈ રહી છે. દરમિયાન, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી આનંદ (Senior advocates Harish Salve and Pinky Anand) સહિત દેશના 600 થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને (Chief Justice DY Chandrachud) પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં કહ્યું છે કે એક વિશેષ જૂથ દેશમાં ન્યાયતંત્રને નબળું કરવામાં લાગેલું છે.

આ વકીલોએ પત્રમાં લખ્યું છે કે આ વિશેષ જૂથનું કામ કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણ લાવવાનું છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જેમાં ક્યાં તો રાજકારણીઓ સામેલ હોય અથવા ભ્રષ્ટાચારના આરોપો હોય. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમની પ્રવૃત્તિઓ દેશના લોકતાંત્રિક બંધારણ અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ માટે ખતરો છે.

વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વે ઉપરાંત, જેમણે CJIને પત્ર લખ્યા છે તેમાં મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદીનો સમાવેશ થાય છે.

વકીલોનું કહેવું છે કે આ ચોક્કસ જૂથ ન્યાયતંત્રની કામગીરીને ઘણી રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, જેમાં ન્યાયતંત્રના કહેવાતા સુવર્ણ યુગ વિશે ખોટું વર્ણન રજૂ કરવાથી માંડીને અદાલતોની વર્તમાન કાર્યવાહી પર સવાલો ઉઠાવવા અને લોકોનો અદાલતો પરનો વિશ્વાસ ઘટાડવાનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?