આમચી મુંબઈ

ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ૪૮૧ પંપ બેસાડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શહેર સહિત ઉપનગરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ ૪૮૧ પંપ બેસાડવામાં આવવાના છે.

મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારે વરસાદ સમય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તેથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જુદા જુદા વિસ્તારમાં પંપ બેસાડવામાં આવતા હોય છે. પંપના માધ્યમથી વરસાદની પાણીનો નિકાલ કરવામાં આવે છે અને શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાથી રાહત મળતી હોય છે.

મુંબઈમાં જ્યારે કલાકના પંચાવન મિલીમીટર કરતા વધુ વરસાદ પડે તેમ જ દરિયામાં એ સમયે ભરતી હોય એવા સમયે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. મુંબઈ શહેર અને ઉપનગરમાં પાણી ભરાઈ જવાના સ્થળો શોધવાની કાર્યવાહી વોર્ડ સ્તરે કર્મચારી અને સ્ટોર્મ વોડર ડ્રેનેજ વિભાગ મારફત દર વર્ષે કરવામાં આવે છે. તે મુજબ આખા મુંબઈનો વિચાર કરતા વિવિધ ઠેકાણે વરસાદી પાણીનો નિકાલ કરનારા ૪૮૧ પંપ બેસાડવાનું પાલિકાનું આયોજન છે. શહેર વિભાગમાં ૧૮૭, પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૬૬ અને પૂર્વ ઉપનગરમાં ૧૨૪ પંપ બેસાડવામાં આવવાના છે. આ પંપ હાઈ કેપેસીટીના રહેશે.

આ પંપના ઠેકાણે ઑપરેટર અને હેલ્પર તહેનાત કરવામાં આવશે અને આવશ્યકતા મુજબ પંપ સમયસર ચાલુ રહે તે માટે યોગ્ય પદ્ધતિએ તે ચાલુ રહે તે માટે વોર્ડ સ્તરે જવાબદારી રહેશે. વોર્ડના આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ઍન્જિનિયર એટલે કે સમન્વય અધિકારી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલને પંપ વિશે સતત માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેથી ભારે વરસાદ સમયે પંપ કેટલા કલાકમાં પાણીનો નિકાલ કર્યો તેની માહિતી ઉપલબ્ધ થઈ શકશે.

પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨માં ૩૮૦ પંપ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે વોર્ડની માગણી મુજબ પંચાવન વધારાના એટલે કે ૪૩૫ પંપ બેસાડવામાં આવ્યા હતા. તો ૨૦૨૩માં ૩૮૦ પંપ બેસાડવાની યોજના હતી. પરંતુ બાદમાં ૧૧૨ વધારાના પંપ સહિત કુલ ૪૯૨ પંપ ચાલુ કરવામાં આવ્યા હતા. તો આ વર્ષે એટલે કે ૨૦૨૪માં ૨૫ પ્રશાસકીય વોર્ડ અને કે.ઈ.એમ. હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલની માગણી મુજબ જુદા જુદા વિસ્તારમાં ૪૮૧ પંપ બેસાડવાનું આયોજન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door