ઇન્ટરનેશનલનેશનલ

‘કેનેડા માત્ર આક્ષેપો કરે છે, પુરાવા નથી આપતું’: વિદેશ પ્રધાન એસ જયશંકરે નિજ્જર હત્યા કેસમાં જસ્ટિન ટ્રુડોને ફટકાર લગાવી

ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. તાજેતરમાં જ તેણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ ફરી ભારતને હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા ક્યારે કોઈ પુરાવા આપતું નથી પરંતુ તેના બદલે ત્યાં થઈ રહેલા ગુનાઓ માટે ભારતને જવાબદાર માને છે. જયશંકરે એમ પણ જણાવ્યું હતું કે કેનેડામાં જે કંઈ થઈ રહ્યું છે તે તેમની આંતરિક રાજનીતિને કારણે છે. નિજ્જર હત્યાકાંડને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

જયશંકરે જણાવ્યું હતું કે, ‘મેં જોયું કે ત્રણ લોકોની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. દેખીતી રીતે તેઓ અમુક પ્રકારની ગેંગ પ્રુષ્ઠભૂમિ ધરાવતા ભારતીય છે. પોલીસ અમને તેમના વિશે વધુ માહિતી આપે તેની અમે રાહ જોઈશું. કેનેડા એ અમને ક્યારે એવું કંઈ આપ્યું નથી જે ભારત સરકારને સંડોવણી સાબિત કરે અમે કેનેડાની સરકારને વારંવાર કહ્યું છે કે જો તમારી પાસે કંઈક હોય તો કૃપા કરીને અમને આપો.’

ઓડિશાની બે દિવસની મુલાકાતે ભુવનેશ્વર પહોંચેલા જયશંકરે કેનેડા દ્વારા કથિત રીતે નિજ્જર હત્યાકાંડમાં ભારતની સંડોવણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આવા કેસોમાં વધુ માહિતી અને પુરાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જયશંકરે દાવો કર્યો હતો કે ભારતે 25 ખાલીસ્તાની કાર્યકરોની વિગતો કેનેડા સાથે શેર કરી છે અને તેમના પ્રત્યારોપણની વિનંતી કરી છે, પરંતુ કેનેડાએ તેનો જવાબ આપ્યો નથી.

વિદેશ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, દેશને વિકસિત ભારત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવાની જરૂર છે અને એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને સક્રિય નેતાને જરૂર છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી હવે પહેલા કરતા ઘણી સારી છે. કેનેડા એક અપવાદ છે. તમે જોયું જ હશે કે વિવિધ દેશોનું નેતૃત્વ ભારત અને તેના વડાપ્રધાનની પ્રશંસા કરે છે. ખાલીસ્તાની સમર્થકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરી રહ્યો છે અને તેને લોબી બનાવી રહ્યો છે અને તે કેનેડાની વોટ બેન્ક બની રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…