આમચી મુંબઈ

દરરોજ આ કારણે 31 મુંબઈગરા પહોંચે છે હોસ્પિટલ, તમે પણ તો નથી કરતાં ને આ ભૂલો?

મુંબઈઃ મે મહિનો શરૂ થયો અને અઠવાડિયું પણ પૂરું નથી થયું ત્યાં પારો ફરી એક વખત વધુને વધુ ઉંચે જઈ રહ્યો છે. પરસેવે રેબઝેબ થઈ રહેલાં મુંબઈગરાની હેરાનગતિ કંઈ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને એમાં હવે વધારો થઈ રહ્યો છે. વધતી જતી ગરમીને કારણે મુંબઈગરામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં ગેસ્ટ્રો, સ્ટમક ઈન્ફેક્શન જેવી સમસ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર એકલા એપ્રિલ મહિનામાં દરરોજ 31 લોકોને ગેસ્ટ્રોની સમસ્યા સતાવી રહી હતી. શહેરની સરકારી તેમ જ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સ્ટમક ઈન્ફેક્શનની સમસ્યાથી પીડિતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

મુંબઈ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પર ભરોસો કરીએ તો એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ 31 લોકો ગેસ્ટ્રો જેવી સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ તો ખાલી સરકારી હોસ્પિટલના આંકડાઓ છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ગેસ્ટ્રોના દર્દીઓની સંખ્યા વધારે હોઈ શકે છે.

જેજે હોસ્પિટલના હેલ્થ ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલ મહિનામાં ગેસ્ટ્રોથી 300 જેટલા દર્દીઓ પીડિત હતા. ડિહાઈડ્રેશન, ઉલ્ટી જેવી સમસ્યાથી આ દર્દીઓ પરેશાન હતા. ગેસ્ટ્રોના દર્દીને સાજા થાવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે, જ્યારે ઓપીડી બેસિસ પર બે દિવસમાં દર્દી સાજા થઈ જાય છે.


ગેસ્ટ્રો થવાના કારણો વિશે વાત કરીએ તો મુંબઈના રસ્તા પર સ્ટ્રીટ ફૂડ કે જંકફૂડ ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે અને લોકોએ ખૂબ જ ટેસ્ટથી ખાય પણ છે. પરંતુ આ ફૂડ કઈ રીતે બનાવવામાં આવ્યું છે એનો વિચાર લોકો નથી કરતાં. રસ્તા પર કે રસ્તાની નજીક ખુલ્લામાં આ ખાદ્યપર્દાથો વેચાય છે જેને કારણે આ ખાદ્યપદાર્થો દુષિત થઈ જાય છે અને એનું સેવન કરવાથી સ્ટમક ઈન્ફેક્શન થાય છે.


આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલ મહિનામાં 916 લોકોને ગેસ્ટ્રો થયો હતો જ્યારે માર્ચ મહિનાામાં આ આંકડો 637 જેટલો હતો. મુંબઈના એક ડોક્ટરે ગેસ્ટ્રોથી બચવા શું કરવું જોઈએ એ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે દૂષિત ખાદ્યપદાર્થો ખાવાને કારણે ગેસ્ટ્રો કે સ્ટમક ઈન્ફેક્શન જેવી સમસ્યા સતાવે છે એટલે શક્ય હોય ત્યાં સુધી આવા ખાદ્યપદાર્થ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાસ સાફ-સૂથરી જગ્યા પરથી જ ખાવાનું રાખો. તેમ જ ઘરમાં પણ વાસી કે બચી ગયેલું ભોજન બીજા દિવસે ખાવાનું ટાળો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…