ઈન્ટરવલ

ગાંધી વિચાર વર્તમાન સમયમાં કેટલો પ્રસ્તુત?

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

`અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે.જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ.’

  • ગાંધીજી
    બે દિવસ પહેલાં જ ગાંધી જયંતી ગઈ.આઝાદીના ઉષા કાળમાં તો ભારતભરમાં ગાંધી જયંતી હોશે હોશે મનાવવામાં આવતી.કાળની થપેટમાં એ ભાવના ઘટતી જોવા મળે છે.સમજો કે લુપ્ત થતી જાય છે.ગાંધી જયંતીનો દિવસ માત્ર જાહેર રજા પૂરતો સીમિત થઈ ગયો હોય એવું જોવા મળે છે!

અત્યારે આપણે સખત ભાગદોડ અને તેજ ગતિની જીવન પદ્ધતિના યુગમાં જીવીએ છીએ.કોઈની પાસે સમય નથી.અત્યારે તો ભરચક્ક ટેક્નોલોજીનો સહારો છે,તેમ છતાં બધા ભાગમભાગ છે.જ્યારે ગાંધીજી પોતે સમય વ્યવસ્થા કઈ રીતે કરતા હતા,તેનો મંત્ર જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણને આ તાળું ખોલવાની ચાવી મળી જાય.

આવો, ગાંધીજીનું વ્યક્તિત્વ,નેતૃત્વ,જીવન કાર્ય અને જીવન સંદેશ જેવા કેટલાક પ્રસંગો યાદ કરીને ગાંધીજીને જન્મ જયંતી પ્રસંગે અંજલિ અર્પણ કરીએ.

ગાંધીજીને 1930 માં જેલવાસ થયેલો.ત્યારે ગાંધીજી યરવડા જેલમાં હતા.યરવડા જેલનું નામ ગાંધીજીએ યરવડા મંદિર' પાડેલું.આ સમયે ગાંધીજી તેમનો સમય તેમને મળતા છાપાં વાંચીને,રેંટિયો કાંતિને કે પછી ગીતાના મનનમાં ગાળતા.એ સમયે એક બે ભાઈઓ તરફથી એવી રજૂઆત થઈ કે સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતના રેડવાની આવશ્યકતા છે.આથી ગાંધીજીએ આશ્રમવાસીઓ પર સાપ્તાહિક પત્રો લખવાનું શરૂ કર્યું. કોઈપણ કાર્ય નિયમિત થવું જોઈએ,એવો ગાંધીજીનો આગ્રહ હોવાથી દર મંગળવારની સવારની પ્રાર્થના પછી એક પ્રવચન લખી મોકલવાનો એમણે સંકલ્પ કર્યો. આ પ્રવચનો દર મંગળવારના રોજ પ્રભાતના સમયે લખાતા હતા. આથી આ પ્રવચન સંગ્રહનું નામમંગળ પ્રભાત’ જ આપ્યું.

આ પ્રવચનોની શરૂઆત 22/7/1930 ના થઈ. સત્ય' ઉપરથી શરૂઆત કરી. તારીખ 21/10/1930 ના રોજસ્વદેશી’ વ્રત વિશેના પ્રવચનની પૂર્ણાહુતિ થઈ. આ વ્રતો માંહેના સત્ય' અનેઅહિંસા’ બે વ્રતની અસર ગાંધીજી ઉપર સવિશેષ રહેવા પામી છે. ગાંધીજીએ બાળપણમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું. આ નાટકમાં સત્ય બોલવાની ટેકને લીધે રાજા હરિશ્ચંદ્રની અનેક કસોટીઓ થાય છે.તેમ છતાં રાજા હરિશ્ચંદ્ર સત્યને વળગી રહે છે. ગાંધીજી આ નાટક જોઈ વિચારે ચડી જાય છે. સત્ય બોલવાથી આટલું બધું કષ્ટ પડે? તેમ છતાં સત્યને વળગી રહેવાય! આ સત્ય ઘટના હશે કે કાલ્પનિક વાર્તા હશે? જે હોય તે, પણ મારે તો આજથી સત્ય જ બોલવું છે.' આમ ગાંધીજી આજીવન સત્યને વળગી રહ્યા. મેઘાણી સાહેબે સૌરાષ્ટ્રની રસધારમાં પરબની જગ્યાની વાર્તામાં નોંધ્યું છે કે, આજુબાજુનાં ગામડાંમાં ભિક્ષાવૃત્તિ માટે પગપાળા જવાનો અમરમાનો નિત્ય ક્રમ હતો. એક દિવસ એવું બને છે કે અમરમાને પરત ફરતી વખતે ખૂબ જ મોડું થઈ જાય છે. એકલતા અને અંધારાનો લાભ લઈને કેટલાક ઘોડેસવાર લુખ્ખા તત્ત્વો અમરમાની પાછળ પડે છે. ત્યારે અમરમાસત દેવીદાસ’ `સત દેવીદાસ’ એવા મોટા અવાજે બોલતાં બોલતાં ચાલ્યા જાય છે. બને છે એવું કે ક્યારેક અસવારોને આગળ અવાજ સંભળાય તો આંબવા માટે પોતાનાં ઘોડાં દોડાવે છે, તો વળી ક્યારેક પાછળ અવાજ સંભળાય છે, ત્યારે અસવારો રાહ જોવા ઊભા રહી જાય છે. આમ સતત ચાલતું રહે છે. આમ ને આમ અમરમા પરબની જગ્યામાં હેમખેમ પહોંચી જાય છે.

મેઘાણી સાહેબ નોંધે છે કે `સત્ય પગે ચાલીને જાય અને અસત્ય કદાચ ઘોડે સવાર થઈને જાય તો પણ સત્યને આંબી શકે નહીં.’

અહિંસા બાબતે ગાંધીજીના વિચાર ખૂબ જ સૂક્ષ્મ હતા.તેઓ માનતા કે કોઈને ન જ મારવું એ તો અહિંસા છે જ, પરંતુ કુવિચાર માત્ર હિંસા છે.ઉતાવળ હિંસા છે.મિથ્યા ભાષણ હિંસા છે.દ્વેષ હિંસા છે. કોઈનું બૂં ઈચ્છવું હિંસા છે.જે જગતને જોઈએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ.તેમાં ઊલટી કંઈને સૂલટી કઈ? એ નક્કી ન કરી શકેએ.
દક્ષિણ આફ્રિકા ગયા પછી ડરબનથી પ્રિટોરિયા જવા માટે ગાંધીજીએ રેલવેની પહેલા વર્ગની ટિકિટ કઢાવી ગાડીમાં બેઠા.મેરિત્સબર્ગ સ્ટેશન આવ્યું. ત્યાં એક ગોરો ઉતારુ તે ડબામાં આવ્યો.ગાંધીજીને જોઈને એણે કોઈ અમલદારને બોલાવ્યો.અમલદારે ગાંધીજીને ત્રીજા વર્ગના ડબ્બામાં જવાનું કહ્યું.ગાંધીજી પાસે પહેલા વર્ગની ટિકિટ હતી એટલે એમણે ના પાડી.સિપાઈને બોલાવીને એ લોકોએ ગાંધીજીને જબરદસ્તીથી નીચે ઉતરાવ્યા.તેમણે બીજા ડબ્બામાં જવાની ના પાડી.ગાડી ઊપડી. ગાંધીજી પ્રતીક્ષાલયમાં બેઠા.અંધારામાં ને ટાઢમાં ગાંધીજીએ આખી રાત વિચાર કર્યો : ‘કાં તો મારે મારા હકોને સાં લડવું અથવા પાછા જવું.નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું.અને કેસ પૂરો કરીને દેશ જવું.કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય.મારા ઉપર દુ:ખ પડ્યું એ તો ઉપરચોટિયું દરદ હતું.ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું.આ મહારોગ રંગદ્વેષ.એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો.તેમ કરતાં જાત ઉપર દુ:ખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’

સત્યાગ્રહનું આ બીજ હતું.સ્વરાજની હિલચાલના ભણકારા હતા.હિન્દની આઝાદીનું આ પહેલું પ્રકરણ હતું.

આપણે જે જે કામ કરીએ તે ઉત્તમ રીતે કરીએ એ બાપુનું વ્રત જ હતું.કામ નાનું કે મોટું,જાહેર કે ખાનગી પણ તે આપણું છે.આપણને સોપાયું એટલે આપણાથી બને એ રીતે સારામાં સારી રીતે તે પાર પાડવાનું રહેશે.પૂરા ધ્યાનથી અને દક્ષતાથી કરવું જોઈએ.ગાંધીજીનાં ચીવટ ને ચોકસાઈ જાણીતાં છે.

આશ્રમની સ્થાપના કરીને બાપુ ગુજરાતમાં વસ્યા ત્યારે પોતાના રાજદ્વારી ગુ ગોખલેના કેળવણી વિષયક લેખો અને ભાષણોનું એક સ્વતંત્ર પુસ્તક બહાર પાડવાનું બાપુએ નક્કી કર્યું.એક જાણીતા કેળવણીકારને આ કામ સોંપવામાં આવ્યું. અનુવાદ છપાઈ ગયો અને પ્રસ્તાવના લખવા માટે છાપેલા ફરમા બાપુ પાસે આવ્યા.તેમણે તે જોઈ જવા મહાદેવભાઈને આપ્યા.તે દિવસોમાં મહાદેવભાઈ બાપુના તાજા જ સેક્રેટરી બન્યા હતા. અનુવાદ જોઈ મહાદેવભાઈને સંતોષ ન થયો. મહાદેવભાઈએ બાપુને કહ્યું, અનુવાદ સારો નથી, તેમ જ ભાષા પણ સારી નથી.' બાપુને આ અભિપ્રાયથી સંતોષ ન થયો. તેઓ મહાદેવભાઈ પાસે સાબિતી માગે છે. મહાદેવભાઈએ કેટલાક દાખલા કાઢી બતાવ્યા.હવે એ અનુવાદ નરહરીને આપો.મારે એમનો સ્વતંત્ર અભિપ્રાય જોઈએ.’ આ ઘટનાથી મહાદેવભાઈને જરા માનભંગ થયા જેવું લાગ્યું પણ પોતાના અભિપ્રાય બાબત એમને ખાતરી હતી એટલે બોલ્યા નહીં. નરહરિભાઈનો પણ એવો જ અભિપ્રાય આવ્યો. તેમ છતાં બાપુને સંતોષ થયો નહીં. ત્યારે બાપુએ કહ્યું, હવે કાકાનો અભિપ્રાય લો.' કાકા સાહેબ કાલેલકરનો પણ એવો જ અભિપ્રાય થયો. ત્રણેયનો એક અભિપ્રાય થયો એટલે બાપુ ગંભીર થઈને કહેવા લાગ્યા,ત્યારે હવે બીજો રસ્તો નથી. આખી આવૃત્તિ બાળી મૂકવી જોઈએ. મારાથી ગુજરાતને આવી ભેટ ન અપાય.’ બાપુનો હુકમ છૂટ્યો કે બધા ફોર્મ બાળી મૂકવા. પસ્તી તરીકે પણ ન વેચવા. અનુવાદકની મહેનત અને કાગળની કિમત કરતાં ગાંધીજીને મન શ્રેષ્ઠતાનો બોધ વધારે મહત્ત્વનો હતો. બાપુના જીવનમાં ભાષા શુદ્ધિ, જીવનની શુદ્ધિ અને કામની સફાઈ આ ત્રણ બાબતો આજીવન પ્રભાવશાળી રહ્યાં છે.

 સમય પાલન માટેનો ગાંધીજીનો આગ્રહ એ લોક કેળવણીનો બીજો પાઠ હતો.એમાં પણ ચોકસાઈ,જાગૃતિ અને ઉત્તમતાનો ઉપદેશ હતો.સમય નક્કી કર્યો તે કોઈપણ ભોગે પાળવાનો. જે કામ શરૂ થાય તે ઘડિયાળના ટકોરે શરૂ થાય અને પૂરું થાય. એક પણ મિનિટ નકામી જવા ન દેવાય. ગાંધીજીને એ ધૂન હતી.1961 ની સાલમાં `ગુજરાત રાજકીય પરિષદ' ગોધરામાં ભરાઈ. ગાંધીજી સભામાં વખતસર પહોંચી ગયા. લોકમાન્યને પણ પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.તેઓ જરા મોડા આવ્યા.ગાંધીજીએ બહુ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું.પણ સાથે સાથે એટલું કહ્યા વગર ન રહ્યા કે લોકમાન્ય અરધો કલાક મોડા આવ્યા છે.જો સ્વરાજ મેળવતાં અરધો કલાક મોડું થશે તો તેને માટે લોક માન્ય જવાબદાર ગણાશે ! 

બીજા એક મહાનુભાવ એમની મુલાકાતે આવ્યા ને સહેજ મોડા પડ્યા.ત્યારે ગાંધીજીએ દિલગીરી બતાવી અને એને મળવાની ના પાડી. એને ખોટું લાગ્યું અને સામેથી ફરિયાદ કરી કે મારી ઘડિયાળ પ્રમાણે હું સમયસર આવ્યો છું અને મારી ઘડિયાળ સાચી છે.' ત્યારે ગાંધીજીએ કહેવડાવ્યું:જેમની મુલાકાતે જવું હોય તેની ઘડિયાળ જ સાચી માનવી જોઈએ. હવે કાલે આવશો અને સમયસર આવશો.’
એક વખત ગાંધીજીને મુંબઈથી બપોરની ગાડીમાં દિલ્હી જવાનું થયું.દિલ્હી જવાની વાત ચાલી રહી હતી.સ્ટેશને કેવી રીતે પહોંચવું એ ચર્ચા ચાલી એ વખતે ત્યાં એક વેપારી બેઠો હતો.તેણે આ તક ઝડપી લેતા કહ્યું: બાપુ ! હું સમયસર મોટર મોકલીશ સ્ટેશને પહોંચવાની ચિંતા ન કરશો.' મોટર મોકલો એમાં મને વાંધો નથી પણ મોટર સમયસર આવવી જોઈએ.’
કહો કેટલા વાગે અહીં મોટર મોકલું?' બરાબર ચાર વાગ્યે અહીં મણીભવનમાં મોટર આવી જવી જોઈએ.’
`ભલે બરાબર ચાર વાગ્યે મોટર આવી જશે.’

જવાનો સમય થયો.ચારમાં પાંચ મિનિટ બાકી હતી.ગાંધીજીએ બધા કામ આટોપી જવા માટેની તૈયારી કરી.રસ્તા ઉપર નજર કરી તો હજી મોટર આવી ન હતી.ઘડિયાળમાં જોયું તો પાંચ મિનિટ બાકી હતી.ચાર વાગે મોટર આવવાની વાત કરી હતી એટલે પાંચ મિનિટ રાહ જોતા ઊભા રહ્યા.જોતજોતાંમાં તો પાંચ મિનિટ વીતી ગઈ.હજી મોટર આવી ન હતી.

બરાબર ચારના ડંકા થયા એટલે ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું : `મહાદેવ ! મોટર આવી નહીં. હવે હું મોટરની રાહ જોઈને વખત ન બગાડી શકું.’

આટલું કહીને ગાંધીજીએ પોતાની લાકડી હાથમાં લીધી અને ઝડપથી સ્ટેશન ભણી ચાલી નીકળ્યા.મુંબઈના ભરચક વિસ્તારમાંથી મહાત્માજી ચાલતા જશે એવી આશા સાથીદારોએ રાખેલી નહીં.જેમને ત્યાં ગાંધીજી ઊતર્યા હતા તે ભાઈ પણ એમની પાછળ પાછળ દોડતા ગયા અને કહ્યું : ભલે તે મોટર ન આવી. હું બીજી મોટરની વ્યવસ્થા કરું છું.' પણ ગાંધીજીએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં. એ તો ઝડપથી આગળ જ વધતા ગયા. થોડા સમય પછી એ ભાઈના ઘરની આગળ પેલા વેપારીની મોટર આવી. જ્યારે ડ્રાઈવરે જોયું કે પોતાની ભૂલને લઈને દેશની મહાન વિભૂતિ પગે ચાલીને સ્ટેશને જવા ઊપડી ગઈ છે. ત્યારે તો તેને ખૂબ દુ:ખ થયું. વધુ સમય બગાડવો તેને પાલવે તેમ નહોતો. તેણે ઝડપથી મોટર હંકારીને અને ગાંધીજીને પકડી પાડ્યા.ખૂબ નમ્રતાથી કહ્યું :બાપુ! બેસી જાઓ.’ ગાંધીજીએ કહ્યુંકે, `અત્યારે હું તારી મોટરમાં બેસી જાઉં તો નિયમિતતાનો પાઠ તું કદી નહીં શીખી શકે. આજના પ્રસંગથી તું નિયમિતતાનો પદાર્થ પાઠ શીખજે.’

 એમ કહીને બાપુ સ્ટેશનને માર્ગે આગળ વધ્યા અને સમયસર પહોંચી ગયા.

વર્તમાન સમયમાં આ અને આવા અનેક પ્રસંગો ગાંધીજીના જીવનમાંથી આચરણમાં મૂકવા જેવા છે.

      આવનાર પેઢીઓ આ પ્રકારનો હાડ,માંસ અને ધિરનો બનેલો માણસ આ પૃથ્વી પરથી પસાર થયો હશે તે સરળતાથી સ્વીકારી નહીં શકે. 
  • આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…