આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર, ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ

ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યું છે. કહેવાય છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. આ ગુજરાત વિધાનસભાનું બજેટ સેશન આખો મહિનો ચાલશે.

બજેટ સેશનની શરૂઆત અગાઉ બુધવારે વિધાનસભામાં કામકાજને લઈને એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે પોતાની તરફથી આવી રહેલા ખરડાઓ (Bill) અને રાજયપાલના અભિભાષણને લઈને વાત કરવામાં આવી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું કે સરકાર તરફથી રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. તો વિપક્ષે જનતાના મુદ્દાઓને વધુ સમય આપવાની વાત કહી.

વિપક્ષ વતી એવી માંગણી કરવામાં આવી હતી કે વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષી સભ્યોને વધુ સમય આપે, જેથી જનતાના પ્રશ્નો યોગ્ય રીતે ઉઠાવી શકાય અને તેના પર સંપૂર્ણ ચર્ચા થઈ શકે, જેનો સીધો ફાયદો જનતાને થાય. સરકારે પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે નિયમો અનુસાર દરેકને સમય આપવામાં આવે છે અને સરકાર હંમેશા લોકોના હિતમાં કામ કરવા તૈયાર છે.

બજેટ સત્રની શરૂઆત પછી, ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરવામાં આવશે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે.

કહેવાય છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના સંસદીય બાબતોના મંત્રી, હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે વિપક્ષને વિનંતી કરી છે કે તેઓ સર્વસંમતિથી રામ મંદિર માટે અભિનંદન ઠરાવ પસાર કરે. સરકારે વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા અને કહ્યું કે ભાજપ સરકાર જનહિતમાં નિર્ણયો લે છે અને આ વખતે પણ સારું બજેટ રજૂ કરવામાં આવશે જે તમામ વર્ગો માટે હશે. હવે જોવાનું એ રહે છે કે 1 મહિનાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોઈ મુદ્દે સરકારને ઘેરી શકશે કે કેમ?

આપને જણાવી દઈએ કે વિધાનસભાના બજેટ સત્ર પહેલા જ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યો સહિત કુલ ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. કોઈ પણ સંજોગોમાં વિપક્ષ સરકારને વધુ તાકાતથી ઘેરી શકશે એવું લાગતું નથી. તેમ છતાં વિપક્ષ તરફથી કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકાર બજેટ સત્રનો ઉપયોગ માત્ર પોતાના વખાણ કરવા માટે કરે છે જ્યારે અમે લોકોના પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…