આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળા થયા બેશુદ્ધ, કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને કરાયા મુક્ત

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ વધી રહ્યો છે. રાજ્ય સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જે નિષ્ફળ ગઈ હતી. કારણ કે બેઠકમાં હાજરી પૂર્વે જ ક્ષત્રિય નેતાઓ, મહિલાઓએ કહી દીધું હતું કે રૂપાલાને ટિકીટ રદ કરવા સિવાય કોઈ સમાધાન, માફી નહીં મળે. આ સ્થિતિમાં આજે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો જારી રહ્યા હતા. ત્યારે આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઈને મહારેલી યોજાઈ હતી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન કરણી સેનાના આગેવાન પદ્મિનીબા વાળા બેભાન થયા હતા જેના કારણે માહોલ ગરમાયો હતો.

આ પણ વાંચો: રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?

ક્ષત્રિય સમાજની મહારેલીમાં ક્ષત્રિય આગેવાનના અને કરણી સેનાનાં મહિલા મોરચાના પ્રમુખ તથા ક્ષત્રિય આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળા અચાનક જ બેભાન થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે તેમ છતાં તેઓ આજે ક્ષત્રિય મહા રેલીમાં પણ જોડાયા હતા. જો કે તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે પુરષોત્તમ રૂપાલાના વિરોધમાં આજે રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા. રેલી બહુમાળી ચોકથી લઈને કલેક્ટર ઓફિસ સુધી યોજાઈ હતી.

આ પણ વાંચો: ‘હું મોદી સાથે છું, હું રૂપાલા સાથે છું…’ ના બેનરો હટાવાયા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી

આ રેલીમાં કોંગ્રેસના નેતા ગાયત્રી બા સહિતના આગેવાનો જોડાયા હતા. રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટમાં ક્ષત્રિય સમાજની આ મહારેલીને કલેક્ટરે મંજૂરી આપી હતી. રેલીને લઈને બહુમાળી ચોક સહિત રાજકોટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બીજી તરફ, ક્ષત્રિય સમાજની મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે આ મહિલાઓને મળવા માટે પહોંચેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહની બોપલ પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયતના થોડા જ કલાકોમાં શાહીબાગ હેડક્વાર્ટરથી મહિપાલસિંહ મકરાણાને મુક્ત કરાયા છે. હવે પોલીસ તેમને રાજસ્થાન બોર્ડર સુધી મુકવા જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…