આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ ફરી મેદાને, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી

વડોદરા: રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 સીટો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે, જેમાં સૌથી રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ગઈ કાલે જાહેરાત કરતા જ આજે નામાંકન પણ ભર્યું છે. મધુ શ્રીવાસ્તવની એન્ટ્રીથી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે છેલ્લા 40 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે તેવા કનુભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હવે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો: મધુ શ્રીવાસ્તવે શક્તિસિંહ ગોહિલ સાથે વડોદરામાં કરી મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોઈ પાર્ટી ટિકિટ ના આપે તો અપક્ષ ચૂંટણી લડવાનો હુંકાન કરનાર મધુ શ્રીવાસ્તવ આજે પોતાના સમર્થકો સાથે વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ સોંપ્યું હતુ.

આ દરમિયાન મામલતદારે મધુ શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારનો ઉલ્લેખ કરેલા ટેકેદારને સાથે નહીં લાવવા બાબતે ટકોર કરી હતી. જેથી મધુ શ્રીવાસ્તવ રોષે ભરાઈ ગયા હતા અને પોતાની ભૂલ સુધારવાના બદલે મામલતદારને જ ખરી ખોટી સંભળાવી દીધી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, હું અપીલમાં જવાનો છું, કોણ ક્યાંથી ટેકેદાર લાવે છે, તેની મને ખબર છે. આ સમગ્ર મામલે ચૂંટણી ફરજ પરના અધિકારી અને ઉમેદવાર વચ્ચે થયેલી બોલાચાલીએ ભારે ચર્ચા જગાવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?

દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટતા આવ્યા અને વર્ષ 2022માં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના હાલના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ લડી ચૂંટાયા હતા.

મધુ શ્રીવાસ્તવને હરાવનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હવે ભાજપે ટિકિટ આપી મેદાને ઉતર્યા છે ત્યારે ફરી શું આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાય છે કે અન્ય કોઈ ત્રીજો ઉમેદવાર ફાવી જાય છે તેના પર સૌની નજર છે.

ગત 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપ તરફથી અશ્વિન પટેલ મેદાને હતા અને તેઓને 63,899 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી સત્યજીતસિંહ ગાયકવાડને મેદાને ઉતારવામાં આવ્યા હતા તેઓને 18,870 મત મળ્યા હતા.

અપક્ષ તરફથી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મેદાને ઉતરતા તેઓને માત્ર 14,645 મત મળ્યા હતા. જો કે, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા 77,905 મતોની સરસાઈથી જીત મેળવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza