ટોપ ન્યૂઝવેપાર અને વાણિજ્ય

વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદેથી રાજીનામું શા માટે આપ્યું

નવી દિલ્હી: Paytm CEO વિજય શેખર શર્માએ સોમવારે ડિજિટલ પેમેન્ટ્સ જાયન્ટ દ્વારા સામનો કરી રહેલા નિયમનકારી પડકારો અને ભારે સંકટ વચ્ચે, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)ના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર તરીકે રાજીનામું આપ્યું હતું. શર્માએ બિઝનેસ બંધ કરવાની 15 માર્ચની સમયમર્યાદા પહેલા જ આ પગલું ભર્યું છે. આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લાદવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંને અનુસરે છે, જેમાં સતત પાલનની સમસ્યાઓ અને સુપરવાઇઝરી ચિંતાઓને કારણે Paytm પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ સુધીમાં કામગીરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પેમેન્ટ બેંક સામે આરબીઆઈની કાર્યવાહી અપૂરતી ગ્રાહક ઓળખ તપાસો અને પેરેન્ટ કંપની પેટીએમથી કથિત અંતરના અભાવ સહિત વિવિધ ચિંતાઓને કારણે ઉદ્ભવી છે. પીપીબીએલએ તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પુનઃરચના પણ કરી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને બે નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ પેમેન્ટ્સ બેંકના બોર્ડમાં જોડાયા છે.

સ્વતંત્ર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ સાથે બોર્ડનું પુનર્ગઠન કરવાના Paytmના નિર્ણયને નિયમનકારી ધોરણોનું પાલન દર્શાવવા અને પરિસ્થિતિને બચાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જો કે આરબીઆઈએ બોર્ડની પુનઃરચના સ્પષ્ટપણે ફરજિયાત કરી નથી, એવું અનુમાન છે કે આ પગલાનો હેતુ નિયમનકારી સંસ્થાને નિયમોનું પાલન કરવા માટે Paytmની પ્રતિબદ્ધતા વિશે ખાતરી આપવાનો છે.

વિજય શેખર શર્મા Paytm પેમેન્ટ્સ બેંકમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે Paytm તરીકે જાણીતું One97 કોમ્યુનિકેશન્સ બાકીની માલિકી ધરાવે છે. શર્માએ જણાવ્યું હતું કે બોર્ડમાંથી તેમનું રાજીનામું અને સ્વતંત્ર ડિરેક્ટરોની નિમણૂક શાસન માળખાને સુધારવા માટેના વ્યૂહાત્મક પગલાંરૂપે લેવામાં આવ્યું છે. આ પગલાને પેટીએમને તેના પેમેન્ટ બેંક યુનિટથી અલગ કરીને સ્વતંત્ર એન્ટિટી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. Paytm દ્વારા સામનો કરવામાં આવેલ નિયમનકારી પડકારોએ તેના શેરના ભાવને અસર કરી છે. આરબીઆઈના આદેશ પછી Paytmના શેરોમાં કડાકો બોલી ગયો હતો. જો કે, Paytmના સ્ટોકમાં પાછો ઉછાળો જોવા મળ્યો છે, જે પેટીએમની નવી બેંકિંગ સંસ્થાઓ સાથેની ભાગીદારી અને આરબીઆઈ દ્વારા પેમેન્ટ બેંકની કામગીરીને બંધ કરવાની સમયમર્યાદા લંબાવવાને કારણે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…