તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આરોગ્ય પ્લસ: પથરી વિશે આપને આ માહિતી છે?

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

શું આપ જાણો છો?

વિશ્વમાં દર ૨૦ માંથી ૧ વ્યક્તિને જીવનકાળ દરમિયાન પથરી થાય છે.

સ્ત્રીઓ કરતાં પુરુષોને પથરી વધુ પ્રમાણમાં થાય છે.
પથરી એટલે શું?

કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફ્ટીક જેવું ખનિજ કે જે, કેલ્શિયમ ઑક્ઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરિકએસિડ વગેરેથી બનેલું હોય છે.

પથરી થવાનાં લક્ષણ:
જો પથરી નાની હોય તો તે પોતાની રીતે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. જો મોટી હોય તો એનાં આ લક્ષણ હોય છે…
કમર, મૂત્રાશય, નાભી, મસ્તક વગેરેમાં ખૂબ જ દુ:ખાવો થાય.

પથરી જ્યારે કિડનીમાંથી મૂત્રનળીમાં આવે ત્યારે મૂત્રનળી સાંકડી હોવાથી મૂત્ર વિસર્જન સમયે ખૂબ જ પીડા થાય છે અને પેશાબમાં લોહી પણ આવી શકે છે.

વારંવાર થોડો પેશાબ થવો, પેશાબમાંથી દુર્ગંધ આવવી અને શરીરમાં પરસેવો વધુ વળવો.

પથરી થવાનાં કારણ:
*૨૦ થી ૪૦ વર્ષ સુધીના લોકોને પથરી વધુ પમાણમાં થાય છે.
*મૂત્રના વેગને રોકવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે.
*વધુ પડતા ગળ્યા, ખારા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી.
*પાણી ઓછું પીવાથી તેમજ પેશાબ ઓછો આવવાથી.
*દારૂના વ્યસનથી.
*વધારે તડકામાં રહેવાથી કે વધારે શ્રમ કરવાથી.
*જાડાપણું, ડાયાબીટીસ કે વધારે બ્લડપ્રેશર હોવાથી.
*મૂત્રાશયનું ઈન્ફેક્શન થવાથી.
*અમુક પ્રકારની દવાઓના સેવનથી.
*સંભોગ વખતે વીર્યના વેગને રોકવાથી.
*અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે.

પથરી વિશે મહત્ત્વની માહિતી:
પથરીના દર્દીએ આહારમાં આ ત્રણ બાબત ધ્યાનમકાં રાખવી જરૂરી છે.
પથરી મોટે ભાગે કેલ્શિયમ ઑક્ઝેલેટ્સથી બનેલી હોય છે.
(૧) ઓછા સોડિયમયુક્ત (મીઠાયુક્ત) આહાર લેવા:
કેમ જે, ખોરાકમાં વધુ મીઠું (સોડિયમ) આવવાથી તે વધારાનું સોડિયમ લોહીમાં રહેલ કેલ્શિયમને કિડનીમાં જમા કરશે. પછી કિડની તે કેલ્શિયમને મૂત્રનળી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેથી મૂત્રનળીમાં કેલ્શિયમની પથરી થઈ શકે છે.
(૨) ઓછા ઑક્ઝેલેટ્સ યુક્ત આહાર લેવા:
કેમ જે, આશારમાં ઑક્ઝેલેટ્સ યુક્ત પદાર્થો વધવાથી તે ઑક્ઝેલેટ્સનું લોહીમાંથી કિડનીમાં જઈ પથરીમાં રૂપાંતર થાય છે.
(૩) વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવા:
ઘણા લોકો એવું માનતા હોય છે કે, પથરી દરમિયાન કેલ્શિયમ યુક્ત પદાર્થો જેવા કે, દૂધ-દહીં ન જમવા જોઈએ. પરંતુ તે ખોટી માન્યતા છે. આહારમાં કેલ્શિયમની માત્રા ઓછી કરવાથી ઑક્ઝેલેટ્સની પથરી થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહિ, પરંતુ કેલ્શિયમ ઓછું કરવાથી હાડકાં સંબંધી અનેક રોગ થઈ શકે છે.

સાવધાની
*પાણી વધુ પીવું.
*કબજિયાત ન રહે તેની ખાસ સાવધાની રાખવી.
*રોજ ૨૫ થી ૩૦ મિનિટ શ્રમ કરવો.

પથરીના દર્દી માટે આહાર…
શું જમવું?
*રોજ ૩-૪ લીટર પાણી પીવું.
*વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવો: દૂધ, દહીં, સફરજન, મેવાં, સૂકોમેવો વગેરે…
*પાણીમાં જવ નાખી ઉકાળીને ગાળી લેવું, તે છૂટથી પીવું.
*કળથી, મેથી, મૂળા અને તાંદળજાની ભાજી વધુ લેવી.

શું ન જમવું?
*વધુ મીઠાયુક્ત આહાર.
*વધુ ઑક્ઝેલેટ્સયુક્ત આહાર: નશીલા પદાર્થો, દ્રાક્ષ, નારંગી, સ્ટ્રોબેરી, બીટ, ગાજર, ફ્લાવર, રીંગણ, લીલાં મરચાં, શક્કરિયાં, મરી વગેરે…
*પોલિશ કરેલા ચોખા, ઘઉંનો લોટ વગેરે ઓછા જમવા.
*ક્ષારવાળા પદાર્થો ખૂબ જ ઓછા જમવા: ટમેટાં, પાલખ આદિ ભાજી, રીંગણ, ભીંડો, મગફળી, શક્કરિયા, બીટ વગેરે..
*કોઈ પણ પ્રકારની સોડા ન લેવી અને ચા-કોફી પણ વધુ ન લેવા.
*વધુ ગળ્યાં અને ખાટાં પદાર્થો ઓછાં જમવાં.

પથરીના ઉપચાર:
સવાર-બપોર અને સાંજ ૧ ચમચી ગોખરુનું ચૂર્ણ ફાકીને પાણી પીવું.
રોજ સવાર-સાંજ નાળિયેરના પાણીમાં ૧ ચણા જેટલું સિંઘાલૂણ નાખીને પીવાથી પથરી તૂટીને ભૂકો થઈ પેશાબ દ્વારે નીકળી જાય છે.
મૂળાના પાનની ઘીમાં બનાવેલી ભાજીમાં
લીંબુનો રસ મેળવી રોજ જમવાથી કિડનીની પથરી ઓગળી જાય છે.
લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
૧ ગ્લાસ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
કારેલાનો રસ છાશ સાથે પીવો.
એક મહિના સુધી રોજ સવારે ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

રોજ રાત્રે ૫૦ ગ્રામ કળથી પાણીમાં પલાળી, તેને સવારે ઉકાળી ગાળીને પીવાથી પથરી મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે.


રોજ ૧ દાડમ ખાવું અથવા ૧ કપ દાડમનો જ્યૂસ પીવો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker