આમચી મુંબઈમહારાષ્ટ્ર

ફ્લેમિંગોના રક્ષણાર્થે સિડકો એલઇડી લાઇટ્સ બદલશે…

થાણે: વિદેશથી દર વર્ષે સ્થાળંતરી ગુલાબી પક્ષીઓ ‘ફ્લેમિંગો’ ડીપીએસ ફ્લેમિંગો લેક પાસે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રોશનીનું પ્રદૂષણ ન થાય તે માટે નેરુલ જેટ્ટી પર લગાવવામાં આવેલા પીળા રંગના એલઇડી બલ્બને બદલવાનું ધ સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)એ નક્કી કર્યું છે.

નવી મુંબઈની પ્લોનિંગ ઓથોરિટી સિડકોએ આ લાઇટ બદલવા માટે હાલમાં ટેન્ડર બહાર પાડ્યા છે, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. દર વર્ષે થાણેની ખાડી વિસ્તારમાં હજારો સ્થળાંતરી પક્ષીઓ આવતા હોય છે.

આ વર્ષની શરૂઆતમાં વૉટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલના મોટા સાઇન બોર્ડને અથડાઇને સાત ફ્લેમિંગોના મોત થયા હતા. ત્યાર બાદ પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણીય કાર્યકરો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રકારની એલઇડી નાઇટ ફ્લેમિંગો માટે ભ્રમ ઊભો કરે છે.

નેટકનેક્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર બી. એન. કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે દસ ફ્લેમિંગો લાઇટથી ભ્રમિત થઇને તથા તળાવ સૂકાઇ જવાને કારણે ખોરાકના અભાવે મૃત્યુ પામ્યા હતા. તેઓએ સિડકોના નિર્ણયને આવકાર્યો હતો. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!