મરણ નોંધ

હિન્દુ મરણ

ઘોઘારી દશા દિશાવળ વણિક
રોહીસા નિવાસી હાલ વિલેપાર્લે ચંદ્રકાન્ત જાટકીયા (ઉં. વ.૮૪) તે સ્વ. કંચનબેન ભીખાલાલ જાટકીયાના પુત્ર. સ્વ. માલતીબેન જાટકીયાના પતિ. પ્રજ્ઞેશ, સમીર, શીતલ-કમલેશ સીરોદરિયા તથા હેતલ રણજીત નાયરના પિતા. હેમાલી તથા કોમલના સસરા. સ્વ. રજનીકાંત, અરુણકાંત, જગદીશ, મધુકાન્તા હરકિસનદાસ શેઠ, કળાવતી-વિનોદચંદ્ર કાનાણી, સ્વ. હંસાબેન મનસુખલાલ મહેતા, હેમંતી પિયુશભાઇ સવાઇના ભાઇ તા. ૨૨-૮-૨૪ના ગુરુવારે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૮-૨૪ શનિવારે ૫થી ૭. ઠે. ચતવાણી બાગ, ૭ ગોખલે રોડ, રેલવે સ્ટેશન પાસે, વિલેપાર્લા (ઇસ્ટ) ૧લે માળે.
કપોળ
ડોળીયાવાળા પુષ્પાબેન લલ્લુભાઇ હરજીવનદાસ ગાંધી હાલ મુંબઇના પુત્ર નિરંજન (ઉં. વ. ૭૬) તા. ૨૨-૮-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે વર્ષા (વનીતા) ના પતિ. તે નિખીલ, શ્રદ્ધાના પિતા. કલીકા તથા આશિષભાઇના સસરા. તે મનુભાઇ તથા હંસાબેન, અંજુબેન ઇશ્ર્વરલાલ મહેતાના ભાઇ. તથા સાસરા પક્ષે પાલિતાણાવાળા મણીલાલ કેશવજી મહેતાના જમાઇ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૮-૨૪ના લાડવાડી, સી. પી. ટેંક, મુંબઇ, ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા સ્વ. શશીકાંત શિવજી ખગ્રામના ધર્મપત્ની ગં. સ્વ. વાસંતીબેન (ઉં. વ. ૮૫) સ્વ. હેમરાજ ભગદેના દીકરી. સ્વ. લતેશ, તુષાર, પ્રફુલ, પ્રજ્ઞા ધૈરેશ ભીમજીયાનીના માતુશ્રી. તે દક્ષા, રશ્મી, તેમ જ ફાલ્ગુનીના સાસુ. તે હિતેન, સુરાગી, અક્ષય, દર્શીલ, શુભમના દાદી. તે નીતિશ અને નમ્રતા ચાર્મિલ કોટકના નાની તા. ૨૨-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ મુલુંડ ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૮૮) ગુરુવાર, તા. ૨૨-૮-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. ભૂપતરાય મૂળશંકર પંડયાના પત્ની તથા ઉષા અને મયૂરીના માતુશ્રી. કાર્તિક પંડયા અને ઉપેન્દ્ર શાહના સાસુ. નિખિલ અને ઉર્વીના નાનીમા. સ્વ. ઇન્દુબેન જાની, સ્વ. કુસુમબેન બધેકા, ચંદ્રિકાબેન યાજ્ઞિક તથા હસમુખભાઇ પંડયાના ભાભી. પિયર પક્ષે મણીબેન જટાશંકર બધેકાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ જામખંભાલીયા હાલ કાંદિવલી મુકેશ રમણિકલાલ તન્નાના ધર્મપત્ની પૂર્વી (પ્રવિણા) (ઉં.વ. ૬૦) તા. ૨૦/૮/૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે હાર્દિક તથા જીજ્ઞાના માતુશ્રી. નિલેશ પંચમતિયાના અને નિયતીના સાસુ. સ્વ. પંકજભાઈના ભાભી. પ્રિતીબેનના જેઠાણી. કરણના કાકી. સ્વ. ત્રિવેણીબેન લક્ષ્મીદાસ જસાણીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૪/૮/૨૪ સાંજે ૫ થી ૭. હાલાઈ લોહાણા, મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
સ્વ. ગોરધનદાસ દેવજીભાઈ કેસરિયાના પુત્ર લલીતભાઈ કેસરિયા રાજકોટવાળા હાલ મુંબઈ (ઉં.વ. ૮૨) ભારતીબેનના પતિ. જિજ્ઞાસા તથા ડોલીના પિતાશ્રી. સ્વ. લક્ષ્મીદાસભાઈ, સ્વ. ધનસુખભાઈના નાનાભાઈ. રમેશભાઈ, વિજયભાઈ, અશ્ર્વિનભાઈના મોટાભાઈ. સ્વ. હરિલાલ ગોટેચાના જમાઈ, તા. ૨૨-૮-૨૪ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૮-૨૪ના ૫ થી ૬. ભાટિયા ભાગીરથી હોલ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ મંદિર, ગ્રાઉન્ડ ફ્લોર, દાદીશેઠ અગ્યારી લેન, ચીરાબજાર, જે.એસ.એસ રોડ, મુંબઈ-૨.
હાલાઈ લોહાણા
ઘાંટવડ નિવાસી, હાલ વિરાર વિનોદચંદ્ર રાચ્છ (ઉં.વ. ૭૦) ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. કંચનગૌરી ત્રિભોવનદાસ રાચ્છના સુપુત્ર. તે સ્વ. નયનાબેન, વર્ષાબેનના પતિ. દર્શના અને વિશાલના પિતાશ્રી. રીટા રવીન્દ્ર જસાણીના ભાઇ. દયાબેન ભગવાનદાસ નાનસી, મંજુબેન મગનલાલ મહેતાના જમાઇ. પ્રાર્થનાસભા શનિવારે ૨૪ ઓગસ્ટના ૪૬. વૃન્દા બેન્ક વેટ, સરસ્વતી વિદ્યામંદિર, સેન્ટ મેરી હાઇસ્કૂલ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, એન. બી. એસ્ટેટ, વિરાર વેસ્ટ.
પુષ્કર્ણા બ્રાહ્મણ
મુંબઈ નિવાસી કાંદિવલી પંકજભાઈ ઈશ્ર્વરલાલ વ્યાસના ધર્મપત્ની રમાકાંતિ વ્યાસ (નિશાબેન) (ઉં.વ. ૬૫) ૨૧/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નીલમ તથા રજનીના માતુશ્રી. ગંગારામ શર્મા તથા પાર્વતીબેન શર્માની પુત્રી. સાવિત્રીબેન ઈશ્ર્વરલાલ વ્યાસના પુત્રવધૂ. પ્રાર્થનાસભા ૨૪/૮/૨૪ના ૫ થી ૬. કેવલબાગ, કિલ્લાચંદ રોડ કાંદિવલી વેસ્ટ.
દશા મોંઢ માંડલિયા વણિક
ચોરવાડ નિવાસી હાલ બોરીવલી કૌશિક સેવંતીલાલ મોદીના ધર્મપત્ની અ.સૌ. મીનાબેન (ઉં.વ. ૬૮) ૨૨/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે વિશાલના માતુશ્રી. નિશાના સાસુ. સ્વ. ચંદ્રકાંત, ભુપેન્દ્ર, સ્વ. ભદ્રાબેન, સ્વ. હેમાક્ષી ઇન્દુલાલ ગાંધીના ભાભી. સ્વ. મુલચંદભાઈ દેવશીભાઇ મણિયાર અમદાવાદની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગઢીયા
મોવિયા નિવાસી હાલ બોરીવલી સ્વ. તારાબેન રામેશ્ર્વર પંડ્યાના સુપુત્ર જ્યોતિન્દ્ર પંડ્યા (ઉં.વ. ૭૨) તે સ્વ. મીનાબેનના પતિ. મહેન્દ્રભાઈ, મીનાબેન, ઉષાબેન, રશ્મિબેન, વર્ષાબેન, બીનાબેનના ભાઈ. કલ્પેશ- જાગૃતિ તથા મિલન- વિશ્ર્વાના પિતા. સાસરાપક્ષે મજેવડીવાળા સ્વ. મધુબેન અમૃતલાલ મહેતાના જમાઈ. તે ૨૨/૮/૨૪ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૪/૮/૨૪ના ૫ થી ૭. શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
કંટાસર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ધીરજલાલ એચ. વસાણીના ધર્મપત્ની કલાબેન (ઉં.વ. ૯૦) મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અશ્ર્વિનભાઈ, હરેશભાઈ, રાજુભાઈ, ભાવનાબેન હરેશકુમાર કુરાણીના માતુશ્રી. નિલેશભાઈ, દિલીપભાઈના ભાભુ. ગં.સ્વ. ઇલાબેન, પારૂલબેન, કિરણબેનના સાસુ. સ્વ. પ્રભુદાસભાઈ શાહ, સ્વ. રતિભાઈ શાહ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. મુક્તાબેન, ગં.સ્વ. શારદાબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પચ્ચીસ ગામ ભાટીયા
ગં. સ્વ. કાંતાબેન સરૈયા (ખજૂરડા-રાજકોટ હાલ વિરાર-મુંબઇ) (ઉં. વ. ૮૬) તે સ્વ. જયસિંહ ગોવર્ધનદાસના પત્ની. તે પ્રશાંતનાં માતુશ્રી. તે સ્વ. લાલજી ગોકલદાસ આશરનાં પુત્રી. તે રતનશીભાઇ, સ્વ. સીમાબેન સુરેન્દ્ર મર્ચંટ, હંસાબેન, માલતીબેન, ચારુબેન વિજય વેદનાં બહેન મંગળવાર તા. ૨૦-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ જૂનાગઢવાળા હાલ બોરીવલીના સ્વ. કાશીબેન ભગવાનજીભાઈ ગણાત્રાના પુત્રવધૂ અ.સૌ. હીરાબેન ભરતકુમાર ગણાત્રા (ઉં.વ. ૬૭) તે ૨૩/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સૂચિત, પ્રિતી, બિનિતા તથા ભાવિકાના માતુશ્રી. શ્રદ્ધા, ભાવેશકુમાર રાજપોપટ, નિમેષકુમાર મહેતા, રિષિતકુમાર બાદિયાણીના સાસુ. સ્વ. રમાબેન ગીરધરલાલ, સૌ. રંજનબેન જયંતીલાલ, ગં.સ્વ. તુલ્સાબેન ભરતકુમાર, સ્વ. મમતાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. મુક્તાબેન અમૃતલાલ ચાંદ્રાણીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫/૮/૨૪ના રવિવાર ૧૦ થી ૧૨. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો