મરણ નોંધ

જૈન મરણ

ધનેશભાઇ રસિકલાલ શાહ (કોલસાવાલા)ના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અમી પ્રેમલ વોરા અને રેશમા સ્નેહલ ઝવેરીના માતુશ્રી. તે સ્વ. ભાનુબેન શાંતિલાલ અજમેરાના સુપુત્રી. તે સ્વ. કનુભાઇ, સ્વ. અરવિંદાબેન, સ્વ. હસમુખભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ.ભુપેન્દ્રભાઇ, સૌ. સુવર્ણાબેનના ભાભી. તે સ્વ. કિર્તીભાઇ, સ્વ. વિજયભાઇ, લીનાબેન અને સૌ. માલાબેનના બેન. અને અક્ષત આશ્ના દિઆ અને દેવના નાનીમા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૮-૨૪ના ૧૦થી ૧૧.૩૦. ઠે. યશવંતરાવ ચૌહાણ ઓડિટોરિયમ, સચિવાલય, ભોંસલે માર્ગ, નરીમાન પોઇન્ટ, મુંબઇ રાખવામાં આવેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અમરચંદ ન્યાલચંદ શાહના સુપુત્ર જયંતિલાલ (ઉં. વ. ૮૨) તા. ૨૧-૮-૨૪ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. સુરેખાબેનના પતિ. તે પિન્કી, હેતલ અને વિરતના પિતાશ્રી. દિપકકુમાર, જિનેશકુમાર અને ફાલ્ગુનીના સસરાજી. સ્વ. હરગોવિંદદાસ, સ્વ. કાંતિભાઇ, સ્વ. અરવિંદભાઇ, સ્વ. હિરાબેન, ઇન્દુબેનના ભાઇ. કામળિયા ભંડારીયાવાલા રાઘવજી માધવજી સલોતના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૪ના રવિવારે ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. કે. વી. કે. હાઇસ્કૂલ, સાઇનાથ નગર રોડ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા ઓશવાળ જૈન
સિહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. વિનોદરાય ચુનીલાલ શાહના ધર્મપત્ની વસુમતીબેન (ઉં. વ. ૯૩) બુધવાર, તા. ૨૧-૮-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે અશોકભાઇ, કિશોરભાઇ, કીરીટભાઇ, મંજુલાબેન, ઇંદુબેનના માતુશ્રી. મૃદુલાબેન, કિશોરીબેન, ભાવનાબેન, સ્વ. હસમુખરાય, સ્વ. અરવિંદરાયના સાસુ. ચૈતાલી, સ્નેહા, કૃણાલ, હીરલ, વીકી, કશ્યપ, નીરાલી, અક્ષયના દાદી. પિયર પક્ષે પાલિતાણા નિવાસી. સ્વ. જયંતીલાલ છગનલાલ શાહના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૪ રવિવારના સવારે ૧૦થી ૧૨. ઠે. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ શિવલખા હાલ લાકડીયાના દમયંતીબેન નંદુ (ઉં. વ. ૬૩) બુધવાર, તા. ૨૧-૮-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ચાંપશી ખેરાજના ધર્મપત્ની. સ્વ. ખેરાજ અરજણના પુત્રવધૂ, દિપક મહેશના માતુશ્રી. સુનિતા, પ્રિતીના સાસુ. પાર્થ, અવિરાજના દાદી. પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૪-૮-૨૪ના ૧૦.૩૦થી ૧૨. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કરશન લધુભાઇ નિસર હોલ, દાદર (વેસ્ટ).
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
દોલારાણા વાસણા નિવાસી હાલ ઘાટકોપર ડો. યશુમતી માણેકલાલ મહેતા (ઉં. વ. ૯૭) સ્વ. માણેકલાલ અમુલખરાય મહેતા અને સ્વ. હીરાબેનના દીકરી. તા. ૨૧ ઓગસ્ટ ૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫ ઓગસ્ટ, ૨૪ રવિવારે ૯થી ૧૧. ઠે. લાઇલેક હોલ, જોલી જિમખાના, ઘાટકોપર (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના આસંબીયાના રશ્મીન પ્રદીપ છેડા (ઉં. વ. ૫૮) તા. ૨૧-૮-૨૪ના અવસાન પામેલ છે. દમંયતી પ્રદીપના પુત્ર. સોનલના પતિ. પૂજા, આયુષીના પિતા. નીતિન, મીનાના ભાઇ. રેવંતી ભરતના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.નિ. :સોનલ છેડા, વન મીરાકી, બી-૧૧૦૩, આર. કે. સ્ટુડિયોની સામે, ચેમ્બુર-૭૧.
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈન
પાટડી નિવાસી હાલ અંધેરી સતિષભાઇ કેશવલાલ પારેખના ધર્મપત્ની અલકાબેન (ઉં. વ. ૭૦) તે જયશ્રી બીપીન પારેખ, શોભા ભરત પારેખ, જયોતિ વિજય પારેખના ભાભી. વૈશાલી, પીનાલી, ફાલ્ગુની, મયંકના માતુશ્રી. પરીમલભાઇ, હેમલભાઇ, વૃદ્ધિબેનના સાસુ. ખુશીના દાદી. હેત, પ્રીતના નાની તા. ૨૨-૦૮-૨૪ના ગુરુવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દિગંબર જૈન
ચારણકી નિવાસી હાલ માટુંગા સ્વ. મહેન્દ્રભાઇ મણીલાલ ભલાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયોત્સનાબેન ભલાણી (ઉં. વ. ૮૬) મુંબઇ મુકામે તા. ૨૩-૮-૨૪ના દેહપરિવર્તન થયેલ છે. તે ગં. સ્વ. મિનાક્ષીબેન અરવિંદભાઇ ભલાણીના ભાભી. હિરલ, ચિરાગ અને મેઘના પરાગના ભાભુ. ચોટીલા નિવાસી સ્વ. કાંતિલાલ મોહનલાલ પારેખના દીકરી. તે મહેન્દ્રભાઇ, પ્રદીપભાઇ, સ્વ. પ્રભાકરભાઇ, અતુલભાઇ, માલતીબેનના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૪ના રવિવારે ૪થી ૬. ઠે. લખમશી નપુ હોલ, ચંદ્રાવરકર રોડ, માટુંગા (સે.રે.), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
સીહોર નિવાસી હાલ બોરીવલી સ્વ. વિનોદરાય ચુનીલાલ શાહના ધર્મપત્ની વસુમતીબેન (ઉં.વ. ૯૩) બુધવાર, તા. ૨૧/૮/૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે અશોકભાઈ, કિશોરભાઈ, કિરીટભાઈ, મંજુલાબેન, ઇન્દુબેનના માતુશ્રી. મ્રદુલાબેન, કિશોરીબેન, ભાવનાબેન, સ્વ. હસમુખરાય, સ્વ. અરવિંદરાયના સાસુ. ચૈતાલી, સ્નેહા, કૃણાલ, હિરલ, વિકી, નિરાલી, કશ્યપ અને અક્ષયના દાદી. પિયરપક્ષે પાલીતાણા નિવાસી સ્વ. જયંતીલાલ છગનલાલ શાહના સુપુત્રી. માતૃવંદના તા. ૨૫/૮/૨૪ રવિવારના ૧૦ થી ૧૨. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીસની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ).
વિશા ઓસવાલ જૈન
સ્વ. મંગુબેન રમણલાલ બબલદાસ શાહના પુત્ર જયંતીલાલ શાહ (ઉં.વ. ૮૬) વડાસણ હાલ અંધેરી ૨૨/૮/૨૪ના અરિહંતશરણ થયા છે. તે કોકીલાબેનના પતિ. પ્રકાશભાઈ, સુધાબેન, ફાલ્ગુનીબેન, પ્રીતિબેન, બાલિકાના પિતા. રીનાબેન, વિપુલકુમાર, કેતનકુમાર, મનીષકુમારના સસરા. શિવાંગી, શર્મી, જૈનાલી, કેવિન, યેશા, દેવાંશ, નિધિ, હિરવિત્તા, યતીકના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રતનપર પાલીતાણા નિવાસી હાલ મલાડ ભારતીબેન (ઉં.વ. ૬૮) તે સ્વ. મહેન્દ્રકુમાર રણછોડદાસ શાહના ધર્મપત્ની. સ્વ. પોપટભાઈ તથા સ્વ. બચુભાઈના નાનાભાઈના પત્ની. નિકુંજ, કુણાલ (બંટી), રૂચિતના માતુશ્રી. જીજ્ઞા, વિશ્રુતિ, નિશાના સાસુ. પિયરપક્ષે અગિયાળીવાળા સ્વ. પ્રભુદાસ લાલચંદ શાહના દીકરી. ગુરુવાર, ૨૨/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચુડા નિવાસી હાલ જોગેશ્ર્વરી સ્વ. રજનીકાંત છોટાલાલ શાહ (ખંધાર)ના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. ચંપાબેન વ્રજલાલ સંઘવીના પુત્રી. કમલ – તૃપ્તિ અને પારુલ વિપુલ છેડાના માતુશ્રી. દીનકરભાઈ તથા સ્વ. મહેન્દ્રભાઈના ભાભી. સ્નેહલતાબેન, નીરુબેન અને સુધીરભાઈના બહેન, તા. ૨૨/૮/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મિતિયાળા નિવાસી હાલ ભાયંદર સ્વ. ચંદ્રકાંતભાઈ ભગવાનજી દોશીના ધર્મપત્ની ગં.સ્વ. જ્યોત્સનાબેન (ઉં.વ. ૭૭) તા. ૨૨/૮/૨૪ને ગુરુવાર અરિહંતશરણ થચેલ છે. તે મનિષ, પરેશ, ભવિતાના માતા. ઝંખના, હેમા, કેતનકુમાર શાહના સાસુ. સ્વ. વિમળાબેન બચુભાઈ બિલખીયા, સ્વ. મનુભાઈ, જયંતીભાઈ, સ્વ. સુરેશભાઈ, રંજનબેન ચંદ્રકાંત ખેતાણી, બિપીનભાઈ, મહેન્દ્રભાઈ, હસમુખભાઈ તથા અરવિંદભાઈના ભાભી. પિયરપક્ષે સ્વ. રાયચંદ મોતીચંદ દેસાઈના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫/૮/૨૪ના ૩ થી ૫. સ્થળ: કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (વેસ્ટ).

Show More

Related Articles

Back to top button
ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને