આવતીકાલે એટલે કે પહેલી નવેમ્બરે દેશભરમાં કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે. વિવાહિત મહિલાઓ આ દિવસે તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. સિદ્ધાર્થ અને કિયારાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ તેની પહેલી કરવા ચોથની ઉજવણી કરવા જઈ રહી છે. આ માટે તે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દિલ્હીમાં તેના સાસરિયાના ઘરે પણ પહોંચી ગઇ છે.
કપલ બે દિવસ પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન બંને સફેદ કપડામાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા હાથ જોડીને એરપોર્ટ પર પ્રવેશતા જોવા મળ્યા હતા. સત્યપ્રેમ કી કથાની અભિનેત્રી કિયારાની આ પ્રથમ કરવા ચોથ છે જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. તે દિલ્હી પહોંચી ગઈ છે જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો પરિવાર રહે છે.
કિયારાએ મંગળવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની પહેલી કરવા ચોથ વિશે માહિતી આપી છે. કિયારાએ તેના પહેલા કરવા ચોથની તૈયારીઓ કરી લીધી છે. તે જ સમયે, તેના ચાહકો પણ તેને પરિણીત લુકમાં જોવા માટે ઉત્સુક છે. ગયા વર્ષે, જ્યારે કેટરીના કૈફે તેની પ્રથમ કરવા ચોથની તસવીરો શેર કરી હતી, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. હવે ચાહકો કિયારાની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સિદ્ધાર્થ અને કિયારાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ જેસલમેરમાં હોટેલ સૂર્યગઢ ખાતે શાહી લગ્ન કર્યા હતા. તેમના શાહી લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સૂર્યગઢમાં લગ્ન કર્યા પછી સિદ્ધાર્થ અને કિયારાએ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બી-ટાઉન સેલેબ્સ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં આલિયા ભટ્ટ, નીતુ કપૂર, અજય દેવગન, કાજોલ, સંજય લીલા ભણસાલી અને ભૂમિ પેડનેકર સહિત ઘણા જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે, જેને યાદગાર બનાવવામાં તેઓએ કોઈ કસર છોડી નહોતી.
આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જોઈ લો તમારી રાશિ તો નથી ને?