ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં PM મોદીએ પેલેસ્ટાઈન યુદ્ધ વિશે શું કહ્યું?

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં યોજાયેલી COP28  વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભારત પહોંચ્યા છે. અગાઉ, તેઓ શુક્રવારે (01 ડિસેમ્બર 2023) ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા હતા અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ 7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલાને કારણે ઇઝરાયેલમાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું હતું. તેમણે વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દાનો ટકાઉ ઉકેલ શોધવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, PM નરેન્દ્ર મોદીએ દુબઈમાં COP28 WCAS દરમિયાન ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ પ્રદેશમાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પીએમ મોદીએ 07 ઓક્ટોબરના આતંકવાદી હુમલામાં જાન અને સંપત્તિના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ટૂ સ્ટેટ સોલ્યુશન માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બાગચીએ લખ્યું, પીએમે અસરગ્રસ્ત વસ્તીને માનવતાવાદી સહાયની સતત અને સુરક્ષિત ડિલિવરીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.

બીજી તરફ, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ હરઝોગે કહ્યું, “COP28 કોન્ફરન્સમાં હું વિશ્વભરના ઘણા નેતાઓને મળ્યો. મેં તેમની સાથે વાત કરી કે કેવી રીતે હમાસે યુદ્ધવિરામ કરારનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યું છે. તેમણે ઈઝરાયેલના સ્વરક્ષણના અધિકારનું સન્માન કરવાની વાત પણ કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button