
નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઘરતી ધ્રુજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 9:04 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, આ ભૂકંપનું એપીસેન્ટર હરિયાણાના ઝજ્જરમાં હતું.
ગુરુગ્રામ, મેરઠ, શામલી અને ગાઝિયાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 8 થી 10 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનાં આંચાકા આવતાં લોકોમાં ગભરાટ છે.
આપણ વાંચો: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ