
પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું હતું કે, ‘જ્યારે મમતા બેનરજી સાથે વાતચીત થઈ રહી હતી ત્યારે પણ મેં રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે દરમિયાન મને રોકી દેવામાં આવ્યો હતો. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે મારું રાજીનામું સ્વીકારવું જોઈએ.’ હાઈકમાન્ડે તેમને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે.
અધીર રંજન ચૌધરી 2019 થી 2024 સુધી લોકસભામાં કોંગ્રેસના નેતા રહ્યા છે. આ વખતે તેઓ બંગાળના બહેરામપુરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ TMC નેતા અને ક્રિકેટર યુસુફ પઠાણે તેમને 80 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. યુસુફ પઠાણને ચૂંટણીમાં 5,24,516 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 4,39,494 મત મળ્યા હતા.
અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ વર્ષોથી વિપક્ષી નેતા તરીકે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર સામે લડી રહ્યા છે. અધીર રંજનનો પાર્ટી હાઈકમાન્ડ સાથે મતભેદો છે. આ I.N.D.I.A એલાયન્સની રચના બાદ કોંગ્રેસે મમતા બેનરજીની ટીએમસી સાથે ગઠબંધન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અધીર રંજન ચૌધરી ટીએમસી સાથે ગઠબંધન નહોતા ઈચ્છતા.
અધીર રંજન ચૌધરી બંગાળના સીએમ મમતા બેનરજીના નિવેદન પર પણ ગુસ્સે થયા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસ 40 સીટો જીતશે કે નહીં. આ કહેવું પણ મુશ્કેલ છે. મમતાના નિવેદન પર અધીર રંજને વળતો જવાબ આપ્યો હતો. તેઓ બંગાળના સીએમનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા હતા. અધીર રંજને કહ્યું હતું કે જો I.N.D.I.A બ્લોગના કોઈ નેતાએ આવું કહ્યું હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ ગણાય. તેમણે કહ્યું કે મમતા ભાજપથી ડરે છે. એટલા માટે તે પોતાનું વલણ બદલી રહી છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આ લોકસભામાં માત્ર એક સીટ મળી છે. અહીં 40 સીટો છે. જ્યારે ટીએમસીને 29 બેઠકો મળી છે. ભાજપના ખાતામાં માત્ર 12 બેઠકો આવી છે. આ ચૂંટણીમાં ટીએમસીને ગત ચૂંટણી કરતાં 7 વધુ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસે ગત વખતની સરખામણીમાં એક બેઠક ગુમાવી છે. ભાજપે છ બેઠક ગુમાવી છે.