ટોપ ન્યૂઝનેશનલ

કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા પત્રકારોને સમર્પિત સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દેશભરમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા પત્રકારોને સમર્પિત એક સ્મારકનું ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોઇડા મીડિયા ક્લબ દ્વારા બનાવવામાં આવેલ સ્મારકમાં દેશના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 497 પત્રકારોના નામ છે જેઓ કોવિડ-19 પાનડેમિક દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

નોઈડા મીડિયા ક્લબે કહ્યું, આ સ્મારક એ પત્રકારોને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિનું પ્રતીક છે જેમણે પાનડેમિકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ તેમની ફરજ પ્રત્યેની સમર્પણની ભાવના, ભારતીય લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની તેમની ઇચ્છા અને સૌપ્રથમ સમાચાર આપવાની તેમની ભાવના દર્શાવે છે. આ સ્મારક છ મીટર ઊંચું છે અને કાળા સંગેમરમરથી બનેલું છે.

મીડિયા ક્લબે કહ્યું, આ ત્રિકોણાકાર સ્મારક મીડિયાના ત્રણ પ્રવાહોની ચિહ્નિત કરે છે – પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ માધ્યમ.

ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ, ગૌતમ બુદ્ધ નગરના લોકસભાના સભ્ય મહેશ શર્મા, રાજ્યસભાના સભ્ય સુરેન્દ્ર નાગર, વિધાન સભ્ય ધીરેન્દ્ર સિંહ અને અન્ય લોકોએ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ કોવિડ-19 પાનડેમિક દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button