વીક એન્ડ

વિશેષ: યુદ્ધમાં અબોલ પ્રાણીનો શો વાંક?

  • વીણા ગૌતમ

બે દેશો વચ્ચે થતાં યુદ્ધમાં નિર્દોષ-અબોલ પ્રાણીની હાલત દયનિય થાય છે. માણસ-માણસ ઝઘડે એમાં પ્રાણીનો શો દોષ? યુદ્ધને કારણે નિર્દોષ લોકોની સાથે પશુ-પંખી, વૃક્ષો અને વનસ્પતિ પણ યાતના ભોગવે છે. પ્રજા તો સ્વબચાવ માટે કોઈ સલામત સ્થળ શોધી લે છે, પરંતુ મૂંગાં પ્રાણીઓ ક્યાં જાય? તેઓ એક જ સ્થળે રહીને યુદ્ધનો કેર ભોગવવા વિવશ હોય છે.

વર્તમાનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જે જંગ ખેલાયો એ તો માત્ર 6 દિવસનો હતો, પરંતુ સીમા પર જે અંધાધૂંધી રહે, એના કારણે હજારો મૂંગાં જાનવરો, કીડી-મકોડા, નાની-નાની વનસ્પતિઓ અને મહાકાય વૃક્ષોએ પીડા ભોગવી હતી. એવામાં 6 દિવસમાં યુદ્ધ વિરામ થતાં સૌએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

બન્ને દેશોની સીમા પર જંગલ, નદીઓ અને ઘાસ વન્ય જીવોનું કુદરતી નિવાસ છે. ભારત અને પાક વચ્ચે યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ તો બન્નેએ પલટવાર કર્યાં હતાં. એથી વન્યજીવોની દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. યુદ્ધ દરમ્યાન વિશાળ અને જૂનાં ઝાડ સળગી ઉઠ્યાં. જમીન પર મોટા-મોટા ખાડાઓ પડવા માંડ્યા અને નદીનાં પાણીમાં બારુદ ભળવા લાગ્યો. એથી પ્રાણીઓની ખાવા-પીવાની અને રહેવાની સિસ્ટમ આખી બગડી ગઈ. આ યુદ્ધ જો મહિનાઓ સુધી હજી પણ ચાલ્યું હોત તો તેમને કેટલું નુકસાન થાત એની કલ્પના પણ શક્ય નથી.

નિષ્ણાતો મુજબ બન્ને દેશોની સીમા પર હથિયારમાંથી જે ધૂમાડો નીકળ્યો, જે તોપ અને બંદૂકમાંથી ગોળીઓ વરસાવવામાં આવી એને કારણે નાના જીવો રાખ થઈ ગયા.

આ કાંઈ પહેલી વખત નથી થયું. વાસ્તવમાં તો જ્યારે પણ હિંસક જંગ ખેલાય છે, તો એની કિમત અબોલ પાણીઓને ચૂકવવી પડે છે. જોકે, જાનવર કે વૃક્ષો પોતાની સ્થિતિ વર્ણવી નથી શકતાં, એથી માનવજાતને તેમની પીડાનો કોઈ અંદાજો નથી. યુદ્ધ વિરામ બાદ દેશો પરસ્પર પોતાના નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં પાણીઓ અને વનસ્પતિને થયેલાં નુકસાનની ભરપાઈનો તો કોઈને ખ્યાલ પણ નથી આવતો. આજ સુધી તેમને થયેલા નુકસાનનું કદીપણ વળતર નથી મળ્યું, ના તો ક્યારેય તેમનાં વિશે વિચારવામાં આવ્યું છે. એનાંથી અંદાજો લગાવી શકાય કે માણસજાત સ્વાર્થમાં કેટલો અંધ બની જાય છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે માણસને દેખાડી આપ્યું કે વનસ્પતિઓ અને વાતાવરણ પણ પોતાના પર થયેલા અત્યાચારની કિંમત માનવજાત પાસેથી વસૂલે છે. એથી યુદ્ધને કારણે પર્યાવરણશાસ્ત્રી અને જૈવ વૈજ્ઞાનિકને ચિંતા કોરી ખાય છે.

આ જ કારણ છે કે ભારત-પાક વચ્ચે ચાલેલો જંગ અટકી જવો એ સારી બાબત છે. જોકે આપણે હવે એ વાત પણ વિચારવાની રહેશે કે યુદ્ધમાં પશુઓ અને વનસ્પતિઓને પણ નુકસાન થાય છે.

આ પણ વાંચો….વિશેષ : ખેડૂતોનો કમાઉ દીકરો સફરજન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button