આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કલ્યાણ બેઠકનું કોકડું ઉકેલાયું: શિંદે જૂથને બેઠક ફાળવાય તેવી શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહાયુતિમાં હજી પણ અમુક બેઠકો મામલે ભાજપ, અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે અને તેમાં પણ શિંદેના ગઢ ગણાતી થાણે અને કલ્યાણ બેઠકનો પ્રશ્ર્ન સૌથી મોટો છે. જોકે, આખરે આમાંથી કલ્યાણ બેઠક અંગે ફેંસલો લઇ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કલ્યાણ બેઠક આખરે શિંદે જૂથના ફાળે ગઇ હોવાની માહિતી મળી છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તેમ જ કલ્યાણ ખાતેના હાલના સાંસદ શ્રીકાંત શિંદેએ કલ્યાણ મતવિસ્તારમાં લોકોને મળવાનું શરૂ કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આપણ વાંચો: કલ્યાણમાં ગર્ભપાત કરાવવા સાસુએ પુત્રવધૂના પેટ પર પાટુ મારી

આ બંને બેઠક ઉપરથી કોણ લડશે એ માટે છેલ્લા ઘણા દિવસોથી મહાયુતિના ત્રણેય પક્ષો વચ્ચે ચર્ચા શરૂ હતી અને બેઠકોનો દોર પણ શરૂ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button