આમચી મુંબઈ

સંભાજીરાજે છત્રપતિએ પૂછ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં તમારી સરકાર છે, તો પછી સ્મારક કેમ ન બન્યું?

સાતારા: 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકની જલપૂજા કરવામાં આવી હતી. જો કે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું કામ હજુ પૂર્ણ થયું ન હોવાથી હવે સ્વરાજ્ય પાર્ટીના નેતા ભૂતપૂર્વ સાંસદ સંભાજીરાજે છત્રપતિ આક્રમક બન્યા છે. આજે તેઓ સ્મારકનું નિરીક્ષણ કરવા મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયામાં આવ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સંભાજીરાજે છત્રપતિએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રમાં તમારી સરકાર, રાજ્યમાં પણ તમારી સરકાર, તમે સ્મારકનું જળ પૂજન પણ કર્યું. તો પછી સ્મારક કેમ ન બનાવ્યું?

અમે મુંબઈમાં કોઈ આંદોલન કરવા આવ્યા નથી. ખરા અર્થમાં અમે અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનો વિષય રાજ્યની 13 કરોડ જનતા સુધી લઈ જવા માંગીએ છીએ. અમે કોઈપણ રીતે કાયદો હાથમાં લેવા માગતા નથી. અમે કાયદાની બહાર કંઈ કરવા માગતા નથી. છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્વરાજની સ્થાપના કરી. હું 15 થી 20 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું. રાયગઢ કિલ્લા પર રાયગઢ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. તે માટે મેં સરકારને દબાણ કર્યું. 75 વર્ષમાં પ્રથમ વખત રાયગઢ કિલ્લાની સુધારણા શરૂ થઈ છે, એમ સંભાજીરાજે છત્રપતિએ કહ્યું હતું.

તે સમયે તમામ નેતાઓની ઈચ્છા હતી કે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજનું મોટું સ્મારક બને. 2010માં તત્કાલિન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક હોવું જોઈએ. ત્યારબાદ 2014માં ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી હતી કે અમે અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવીશું. વધુમાં 2016 માં મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે વડાપ્રધાન મોદી જળપૂજન કરવા આવે છે, તો તેનો અર્થ એ છે કે તમને બધી પરવાનગી મળી ચૂકી છે. તે સિવાય દેશના વડાપ્રધાન જળ પૂજન માટે આવે નહીં. હું પણ તે સ્થળે હાજર હતો. મેં પણ તેની પ્રશંસા કરી હતી. પછી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક ઊભું થયું તેની સાથે હું સરખામણી કરવા માંગતો નથી. જો કે 2016 માં સ્મારક માટે જળ પૂજન કરવામાં આવ્યું હતું અને તેના માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. જો કે, તે પછી શું થયું? એવો સવાલ સંભાજીરાજે છત્રપતિએ પૂછ્યો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker