પથરી એટલે શું?

આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફટીક જેવું ખનિજ કે જે, કૅલ્શિયમ ઑક્ઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરીકએસિડ વગેરેથી બનેલું હોય છે. એ પથરી (ઊંશમક્ષયુ જજ્ઞિંક્ષયત) તરીકે ઓળખાય છે.
શું આપ જાણો છો?…
- વિશ્વમાં 20માંથી 1 વ્યક્તિને જીવનકાળ દરમ્યાન પથરી થાય છે.
- સ્ત્રીઓ કરતાં પુષોને પથરી વધુ પ્રમાણમાં થાય છે.
પથરી થવાનાં લક્ષણ
જો પથરી નાની હોય તો તે પોતાની રીતે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, પરંતુ જો મોટી હોય તો એનાં આ મુજબનાં લક્ષણ હોય છે :
- કમર, મૂત્રાશય, નાભિ, મસ્તક વગેરેમાં ખૂબ જ દુ:ખાવો થાય.
- પથરી જ્યારે કિડનીમાંથી મૂત્રનળીમાં આવે ત્યારે મૂત્રનળી સાંકડી હોવાથી મૂત્ર વિસર્જન સમયે ખૂબ જ પીડા થાય છે. અને પેશાબમાં લોહી પણ આવી શકે છે.
- વારંવાર થોડો થોડો પેશાબ થવો અને પેશાબમાંથી દુર્ગંધ આવવી અને શરીરમાં પરસેવો વધુ વળવો.
પથરી થવાનાં કારણ
- 20થી 40 વર્ષ સુધીના લોકોને પથરી વધુ પ્રમાણમાં થાય છે.
- મૂત્રના વેગને રોકવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે.
- વધુ પડતા ગળ્યા, ખારા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી.
- પાણી ઓછું પીવાથી તેમજ પેશાબ ઓછો આવવાથી.
- દારૂના વ્યસનથી.
- વધારે તડકામાં રહેવાથી કે વધારે શ્રમ કરવાથી.
- જાડાપણું, ડાયાબિટીસ કે વધારે બ્લડપ્રેશર હોવાથી.
- મૂત્રાશયનું ઈન્ફેક્શન થવાથી.
- અમુક પ્રકારની દવાઓના સેવનથી.
- સંભોગ વખતે વીર્યના વેગને રોકવાથી.
- અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે. પથરી વિશે મહત્ત્વની માહિતી
પથરીના દર્દીએ આહારમાં આ ત્રણ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
પથરી મોટે ભાગે કૅલ્શિયમ ઑક્ઝેલેટ્સથી બનેલી હોય છે.
(1) ઓછા સોડિયમયુક્ત (મીઠાયુક્ત) આહાર લેવા:
કેમ કે, ખોરાકમાં વધુ મીઠું (સોડિયમ) આવવાથી તે વધારાનું સોડિયમ લોહીમાં રહેલ કૅલ્શિયમને કિડનીમાં જમા કરશે. પછી કિડની તે કૅલ્શિયમને મૂત્રનળી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેથી મૂત્રનળીમાં કૅલ્શિયમની પથરી થઈ શકે છે.
(2) ઓછા ઓક્ઝેલેટ્સ યુક્ત આહાર લેવા:
કેમ કે, આહારમાં ઓક્ઝેલેટ્સ યુક્ત પદાર્થો વધવાથી તે ઓક્ઝેલેટ્સનું લોહીમાંથી કિડનીમાં જઈ પથરીમાં રૂપાંતર થાય છે.
(3) વધુ કૅલ્શિયમયુક્ત આહાર લેવા:
ઘણા લોકો એવું માનતા હોય છે કે, પથરી દરમ્યાન કૅલ્શિયમ યુક્ત પદાર્થો જેવા કે, દૂધ-દહીં ન જમવા જોઈએ, પરંતુ તે ખોટી માન્યતા છે. આહારમાં કૅલ્શિયમની માત્રા ઓછી કરવાથી ઓક્ઝેલેટ્સની પથરી થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહીં, પરંતુ કૅલ્શિયમ ઓછું કરવાથી હાડકાં સંબંધી અનેક રોગ થઈ શકે છે.
સાવધાની
- પાણી વધુ પીવું.
- કબજિયાત ન રહે તેની ખાસ સાવધાની રાખવી.
- રોજ 25થી 30 મિનિટ શ્રમ કરવો.
પથરીના દર્દી માટે આહાર… શું જમવું ? - રોજ 3-4 લિટર પાણી પીવું.
- વધુ કૅલ્શિયમયુક્ત આહાર લેવો: દૂધ, દહીં, સફરજન, કેળાં, સૂકોમેવો વગેરે…
- પાણીમાં જવ નાખી ઉકાળીને ગાળી લેવું, તે છૂટથી પીવું.
- કળથી, મેથી, મૂળા અને તાંદળજાની ભાજી વધુ લેવી.
શું ન જમવું? - વધુ મીઠાયુક્ત આહાર.
- વધુ ઓક્ઝેલેટ્સયુક્ત આહાર: નશીલા પદાર્થો, દ્રાક્ષ, નારંગી, સ્ટ્રોબેરી, બીટ, ગાજર, ફલાવર, રીંગણ, લીલાં મરચાં, શક્કરિયાં, મરી વગેરે.
- પૉલિશ કરેલા ચોખા, ઘઉંનો લોટ વગેરે ઓછા જમવા.
- ક્ષારવાળા પદાર્થો ખૂબ જ ઓછા જમવા: ટમેટાં, પાલખ આદિ ભાજી, રીંગણ, ભીંડો, મગફળી, શક્કરિયા, બીટ વગેરે…
- કોઈપણ પ્રકારની સોડા ન લેવી અને ચા-કોફી પણ વધુ ન લેવા.
- વધુ ગળ્યાં અને ખાટાં પદાર્થો ઓછાં જમવાં. પથરીના વિવિધ ઉપચાર
1.) સવાર-બપોર અને સાંજ 1 ચમચી ગોખરુનું ચૂર્ણ ફાકીને પાણી પીવું.
2.) રોજ સવાર-સાંજ નાળિયેરના પાણીમાં 1 ચણા જેટલું સિંધાલૂણ નાખીને પીવાથી પથરી તૂટીને ભૂકો થઈ
પેશાબ દ્વારે નીકળી જાય છે.
3.) મૂળાના પાનની ઘીમાં બનાવેલી ભાજીમાં લીંબુનો રસ મેળવી રોજ જમવાથી કિડનીની પથરી ઓગળી
જાય છે.
4.) લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
5.) એક ગ્લાસ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવું.
6.) કારેલાનો રસ છાશ સાથે પીવો.
7.) એક મહિના સુધી રોજ સવારે ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં પીવાથી પથરી
પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
8.) રોજ રાત્રે 50 ગ્રામ કળથી પાણીમાં પલાળી, તેને સવારે ઉકાળી ગાળીને પીવાથી પથરી મટે છે.
9.) ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે.
10.) રોજ 1 દાડમ ખાવું અથવા 1 કપ દાડમનો જ્યૂસ પીવો.
આ પણ વાંચો…આ ઔષધિ તમારી પથરીને જડમૂળથી દૂર કરશે