તરોતાઝા

અધ્યાત્મપથના પ્રધાન યોગમાર્ગો

કવર સ્ટોરી – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

  1. અધ્યાત્મપથનાં સોપાન
    કોઈ પણ સાધનપથનાં ત્રણ સોપાન હોય છે

(1) પ્રયોગ :
સાધનાનું પ્રથમ સોપાન. આ ભૂમિકામાં ક્રિયા પ્રધાન છે. આ સાધનાની ક્રિયાત્મક અવસ્થા છે. આ અવસ્થાને કર્મ' પણ કહે છે. અહીં જ્ઞિં મજ્ઞ પ્રધાન છે. પૂજાપાઠ, હોમહવન, આસન, પ્રાણાયામ, વાચિક નામજપ આદિ સાધનો પ્રયોગપ્રધાન સાધનો છે અને તેમનેપ્રયોગ’ ગણવામાં આવે છે.

(ર) સંપ્રયોગ :
પ્રયોગમાંથી સંપ્રયોગ નિષ્પન્ન થાય છે. ક્રિયા કે કર્મપ્રધાન સાધનામાંથી કોઈક સ્વરૂપનો અનુભવ મળે છે. આ અનુભવપ્રધાન સોપાનને સંપ્રયોગ કહેવામાં આવે છે. આ ભૂમિકામાં રયયહ મુખ્ય છે. આ ભૂમિકાને જ ઉપાસના પણ કહેવામાં આવે છે. આ અવસ્થામાં ક્રિયા ગૌણ અને અનુભવ પ્રધાન બને છે. વળી ક્રિયા સૂક્ષ્મ સ્વરૂપ પણ ધારણ કરે છે.

(3) સંપ્રસાદ:
જ્યારે કરવું (કર્મ) અને અનુભવવું (ઉપાસના) બંને ગૌણ બની જાય અને માત્ર હોવું' પ્રધાન બની જાય ત્યારે તે અવસ્થાનેસંપ્રસાદ’ ગણવામાં આવે છે. આ અવસ્થામાં જ્ઞિં બય મુખ્ય છે. ધ્યાન, સમાધિ આદિ ઉચ્ચતર સાધનાઓનો સમાવેશ આ કક્ષામાં થાય છે.
સાધના સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશે છે, અર્થાત્‌‍ પ્રયોગથી પ્રારંભ પામેલ સાધના સંપ્રસાદમાં પરિણમે છે.

યોગાભ્યાસીએ કે અધ્યાત્મપથના કોઈ પણ સ્વરૂપના પથિકે અધ્યાત્મનાં આ ત્રણ સોપાન નજર સમક્ષ રાખવાં જોઈએ અને યાદ રાખવું જોઈએ કે પ્રયોગ સંપ્રયોગ માટે છે અને સંપ્રયોગ સંપ્રસાદ માટે છે. જ્યારે આપણે `યોગ’ શબ્દનો વ્યાપકતમ અર્થ કરીએ ત્યારે યોગનો અર્થ થાય છે અધ્યાત્મપથ. આ અર્થ પ્રમાણે અધ્યાત્મના કોઈ પણ પથને યોગ ગણી શકાય.

પરંતુ પરંપરાગત રીતે સામાન્ય વ્યવહારમાં યોગ' શબ્દ દ્વારા હઠયોગ અને રાજયોગ જ સૂચિત થાય છે. આ દૃષ્ટિકોણથી યોગની વ્યાખ્યા આ પ્રમાણે થશે - યોગ એટલે હઠયોગ અને રાજયોગના સમન્વયમાંથી બનતો આધ્યાત્મપથ. હઠયોગ અને રાજયોગની સાધનપદ્ધતિઓના સમન્વય દ્વારા એક સાધનાપથ તેયાર થાય છે. આ પથને આપણે વ્યવહારમાંયોગ’ ગણીએ છીએ અને પરંપરાગત રીતે પણ રાજયોગ, હઠયોગ અને તેમના સમન્વયમાંથી નિષ્પન્ન સાધનપથને જ `યોગ’ કહેવામાં આવે છે.
આમ આપણી પાસે યોગની બે વ્યાખ્યાઓ છે. વ્યાપક અર્થની વ્યાખ્યા છે – યોગ એટલે પરમ સત્યને પ્રાપ્ત કરવા માટેની સાધનપદ્ધતિ.
પરંપરાગત અર્થની વ્યાખ્યા છે – યોગ એટલે હઠયોગ, રાજયોગ અને તેમના સમન્વય દ્વારા સિદ્ધ થતી સાધનપદ્ધતિ.

સામાન્ય વ્યવહારમાં આ દ્વિતીય વ્યાખ્યાનો જ પ્રસાર અને સ્વીકાર છે. આપણને પણ આ દ્વિતીય વ્યાખ્યા જ અભિપ્રેત છે, તેથી હવેથી આપણે `યોગ’ શબ્દનો પ્રયોગ આ દ્વિતીય અર્થમાં કરશું, અર્થાત્‌‍ યોગ એટલે હઠયોગ, રાજયોગ અને તેમના સમન્વય દ્વારા સિદ્ધ થતી સાધનપદ્ધતિ.
હવે જ્યારે આપણે યોગનો અર્થ વિશેષત: હઠયોગ અને રાજયોગ ગણીએ છીએ ત્યારે આ બંને યોગમાર્ગનો વિશેષ વિચાર કરવાનું આવશ્યક બની જાય છે, તેથી અહીં આપણે આ બંને સાધનપથનો વિશેષ સ્વરૂપે વિચાર કરશું.

  1. હઠયોગ :
    હઠયોગ' શબ્દમાં આવતાહઠ’ પદનો અર્થ જીદ નથી, તેથી હઠયોગ એટલે જીદપૂર્વક કે હઠપૂર્વક કરવાનો યોગ તેવી સમજણ સાચી નથી. હઠયોગ શરીરકેન્દ્રી સાધના નથી, દીર્ઘાયુષ માટેની જ સાધના પણ નથી કે ચમત્કારક શક્તિઓ પ્રાપ્ત કરવાની સાધના પણ નથી. હઠયોગ એક અધ્યાત્મપથ છે અને કુંડલિની-જાગરણ દ્વારા સમાધિ-અવસ્થા પ્રાપ્ત કરવાની તે સાધનપદ્ધતિ છે.

હઠયોગની વ્યાખ્યા આપતાં ગોરક્ષનાથ `સિદ્ધ-સિદ્ધાંત-પદ્ધતિ’માં કહે છે :
વઇંળફ: ઇંતટૃટ: લુ્રૂૃશ્રછઇંળફહ્યધ્ત્ ઈખ્ર્રૂટજ્ઞ ।
લુ્રૂૃખધ્ત્પલળજ્ઞ્રૂર્ળીઉંળટ્ર વછ્રૂળજ્ઞઉંળજ્ઞ ણઉંઊંટજ્ઞ ॥
“વ-કાર સૂર્ય અને છ-કાર ચંદ્ર કહેવાય છે. સૂર્ય અને ચંદ્રનો યોગ – ઐક્ય સિદ્ધ કરવાનું સાધન હોવાથી આ સાધનાને હઠયોગ કહે છે.”
નાભિસ્થ સૂર્ય અને શિરસ્થ ચંદ્રનું મિલન તે હઠયોગ છે અથવા ઈડા અને પિંગલાની સમઅવસ્થા સિદ્ધ થવી તે હઠયોગ છે.
હઠયોગની સાધનાનો પ્રારંભ શરીરથી થાય છે, છતાં વિશેષત: હઠયોગ પ્રાણાયામ શરીરની સાધના છે. હઠયોગની સાધનપદ્ધતિ સમજવા માટે પ્રાણયામ શરીરની રચના અને કાર્યપદ્ધતિની સમજ મેળવવી અનિવાર્ય છે. હઠયોગના પ્રાણવિજ્ઞાન પ્રમાણે પ્રાણયામ શરીરની રચના અને કાર્યપદ્ધતિ આ પ્રમાણે છે :

(1) પ્રાણ : પ્રાણ એટલે જીવનશક્તિ. શરીર અને ચિત્તને જોડનારી વચલી કડી પ્રાણ છે. આપણું સમગ્ર શરીર પ્રાણથી વ્યાપ્ત અને અનુપ્રાણિત છે. શરીર અને મનની ક્રિયાઓ પાણ વિના થઈ શકતી નથી. હઠયોગ પ્રમાણે શરીર અને મનનાં આરોગ્ય અને અનારોગ્ય પ્રાણ પર અવલંબે છે, તેથી પ્રાણયામ શરીરના સ્વાસ્થ્ય દ્વારા શરીર-મનને સ્વસ્થ રાખી શકાય છે.
પ્રાણ મૂલત: એક હોવા છતાં કાર્યભેદે તેનાં પાંચ સ્વરૂપો છે :
પ્રાણ : પાંચે પ્રાણમાં મુખ્ય છે. જીવનધારણ તેનું કાર્ય છે. સ્થાન હૃદયમાં છે.
અપાન : ઉત્સર્ગ તેનું કાર્ય છે. નાભિથી નીચેના પ્રદેશમાં તેનું સ્થાન છે.
ઉદાન : ઉન્નયન તેનું કાર્ય છે. કંઠમાં તેનું સ્થાન છે.
વ્યાન : પરિનયન તેનું કાર્ય છે. સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલ છે.

(2) નાડીઓ : નાભિસ્થાનમાં રહેલ કંદમાંથી 72,000 નાડીઓ સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલી છે. આ નાડીઓને પ્રાણવહા નાડીઓ પણ કહે છે. આ નાડીઓના માધ્યમ દ્વારા સમગ્ર શરીરમાં પ્રાણનું સંચરણ થાય છે. નાડીઓમાં ત્રણ મુખ્ય છે : ઈડા, પિંગલા અને સુષુમ્ણા. આ ત્રણે નાડીઓ પૃષ્ઠવંશમાંથી પસાર થાય છે. સુષુમ્ણા વચ્ચે છે, ઈડા ડાબી બાજુ છે અને પિંગલા જમણી બાજુ છે. સામાન્ય રીતે સુષુમ્ણા બંધ હોય છે.

(3) ચક્રો: મેરુદંડના નીચેના છેડાથી ટોચ (મસ્તક) સુધીમાં સાત ચક્રો આવેલાં છે. સૌથી નીચેથી લેતાં મૂલાધાર (યોનિસ્થાન), સ્વાધિષ્ઠાન (મેઢ્ર), મણિપુર (નાભિ), અનાહત (હૃદય), વિશુદ્ધ (કંઠ), આજ્ઞા (ભ્રૂમધ્ય) અને સહસ્ત્રાર (મસ્તક) – આ ક્રમે રહેલાં છે.
આ દરેક ચક્રનાં આકાર, રંગ, પાંખડીઓ વર્ણો, ધ્યાનની રીત, જાગૃતિનાં લક્ષણો વગેરે વિશે યોગશાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન મળે છે.

(4) ગ્રંથિ અને મંડલ : ગ્રંથિઓ ત્રણ છે. નાભિસ્થાનમાં બ્રહ્મગ્રંથિ, હૃદયમાં વિષ્ણુગ્રંથિ અને ભ્રૂમધ્યમાં રુદ્રગ્રંથિ રહેલ છે. આ ગ્રંથિભેદનની ઘટનાનું એક વિશિષ્ટ આધ્યાત્મિક મૂલ્ય છે.
નાભિવિસ્તારને યોનિમંડલ, હૃદયપ્રદેશને વહ્નિમંડલ અને મસ્તકને સોમમંડલ કહે છે.

(5) કુંડલિની અને તેનું જાગરણ : કુંડલિની અત્યંત રહસ્યપૂર્ણ શક્તિ છે. હઠયોગની સાધના કુંડલિનીના જાગરણ માટેની સાધના છે. કુંડલિનીશક્તિના જાગરણ દ્વારા સમગ્ર જીવનનું રૂપાંતર શક્ય બને છે. કુંડલિની સૌથી નીચેના મૂલાધારચક્રમાં (અન્ય મતે મણિપુરમાં) ગૂંચળું વળીને સુષુપ્ત-અવસ્થામાં પડેલી છે. યૌગિક ક્રિયાઓના અભ્યાસથી કુંડલિનીશક્તિ જાગે છે. જાગીને જ્યારે તે સુષુમ્ણામાર્ગે ઉપર ચડે છે ત્યારે સાધકની ચેતનામાં મોટા ફેરફારો થવા માંડે છે. આ આ કુંડલિની સહસ્રારમાં પહોંચે છે, ત્યારે સાધક સમાધિ-અવસ્થાને પામે છે અને હઠયોગની સાધનાનું લક્ષ્ય સિદ્ધ થાય છે.

પ્રાણ, નાડીઓ, ચક્રો, ગ્રંથિઓ, મંડલ, કુંડલિની, કુંડલિનીનું જાગરણ – આ બધી ઘટનાઓને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજાવી શકાય તેમ નથી. પ્રાણમય શરીરમાં આ બધી ઘટનાઓ ઘટે છે અને માનવચેતનાના રૂપાંતરમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે.
હઠયોગમાં સાધનપદ્ધતિનો ઘણો વિકાસ થયો છે. અહીં આપણે સંક્ષેપમાં હઠયોગની સાધનાનાં અંગોનો વિચાર કરીએ. હઠયોગની સાધનાનાં ચાર અંગો છે.

(1) આસન : આસન શરીરની વિશિષ્ટ અવસ્થા છે. આ અવસ્થા પર્યાપ્ત સમય સુધી ધારણ કરી રાખવાથી તેની અસર પ્રાણમય અને મનોમય શરીર સુધી પહોંચે છે. આસનના અભ્યાસથી પ્રાણના પ્રવાહો યોગાનુકૂલ બને છે અને કુંડલિનીજાગરણની ભૂમિકા તેયાર થાય છે.
આસનના અભ્યાસનો હેતુ પ્રાણસંચાર છે. આ સત્ય સદા સ્મરણમાં રાખવું જોઈએ.

શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, હલાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન, પશ્ચિમતાનાસન, મયૂરાસન, સિદ્ધાસન, પદ્માસન આદિ મહત્ત્વનાં આસનો છે.

(2) પ્રાણાયામ : આસનના અભ્યાસથી કુંડલિનીજાગરણની ભૂમિકા તૈયાર થાય છે, પરંતુ પ્રાણાયામ તો કુંડલિનીજાગરણનું સાક્ષાત્‌‍ સાધન છે. પ્રાણાયામ હઠયોગની કેન્દ્રસ્થ સાધના છે. પ્રાણાયામ = પ્રાણ + આયામ, અર્થાત્‌‍ પ્રાણનું નિયંત્રણ. પ્રાણનું નિયંત્રણ કઠિન અને સૂક્ષ્મ સાધના છે. હઠયોગમાં પ્રાણનું નિયંત્રણ શ્વાસના નિયંત્રણ દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. શ્વાસનિયંત્રણ દ્વારા પ્રાણનિયંત્રણ અને પ્રાણનિયંત્રણ દ્વારા કુંડલિનીજાગરણ – આવી હઠયોગની સાધનપ્રક્રિયા છે. આ સાધના તે જ પ્રાણાયામ છે.
સૂર્યભેદન, ઉજ્જાયી, સત્કારી, શીતલી, ભસ્ત્રિકા, ભ્રામરી, મૂર્છા, પ્લાવિની, અનુલોમવિલોમ, ચંદ્રભેદન – આ પ્રધાન પ્રાણાયામ છે.
પ્રાણાયામમાં પણ કુંભક અને કુંભકમાં પણ કેવલકુંભક સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે.

(3) : મુદ્રા : આસન અને પ્રાણાયામની જેમ મુદ્રા પણ કુંડલિનીજાગરણ માટેની જ સાધના છે. આસનમાં શરીરની વિશિષ્ટ અવસ્થા ધારણ કરવામાં આવે છે. પ્રાણાયામમાં શ્વાસનિરોધ દ્વારા પ્રાણનિરોધ સાધવામાં આવે છે. મુદ્રામાં આ બંને તત્ત્વોનો સમન્વય સાધવામાં આવ્યો હોવાથી મુદ્રાનો અભ્યાસ વધુ અસરકારક પણ જોખમી છે. સામાન્યત: આસન તથા પ્રાણાયામનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી મુદ્રાનો અભ્યાસ કરવામાં આવે છે. મુદ્રાનો અભ્યાસ જરૂર લાગે તો જ ગુરુના માર્ગદર્શન હેઠળ જ અને ખૂબ સાવધાનીપૂર્વક જ કરવો જોઈએ.
મહામુદ્રા, મહાબંધ, મહાવેધ, ખેચરી, વિપરીતકરણી, શક્તિચાલિની, અશ્વિની, ષણ્મુખી, તડાગી, માંડુકી, ભુજંગી – આ પ્રધાન મુદ્રાઓ છે.

(4) સમાધિ : સમાધિ હઠયોગનું અંતિમ અંગ છે અને વસ્તુત: સાધના નહીં, પણ સાધનાનું પરિણામ છે. હઠયોગના સિદ્ધાંત પ્રમાણે આસન, પ્રાણાયામ અને મુદ્રાઓના અભ્યાસથી કુંડલિનીશક્તિનું જાગરણ થાય છે અને ઉત્થિત કુંડલિની સહસ્રારમાં પહોંચે ત્યારે સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે.
`યોગસૂત્ર’માં સમાધિનાં અનેક સ્વરૂપોનું વર્ણન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…