તરોતાઝા

હેલ્થ: સેલિબ્રિટીઝ ‘કાળું પાણી’ પીવે છે, તેની ખાસિયત શું છે?

-દિક્ષિતા મકવાણા

  • એનટી-ટોક્સિન સુપર પાવર ડ્રિંક
  • રેડિકલ સામે લડત આપે છે
  • ડાયજેસ્ટિવ સપોર્ટ
  • ત્વચા, વાળ અને નખના દેખાવમાં સુધારો કરે છે
  • સહનશક્તિ અને ઝડપી રિકવરી સુધારે છે

સેલિબ્રિટીઝના જીવન વિશે જાણવા માટે ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ઘણા સેલિબ્રિટીઝ એવા છે જેમને કાળું પાણી પીતા જોઈ શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ કાળાં પાણી અને સાદા પાણી વચ્ચે શું તફાવત છે. તે સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે.

ક્રિકેટર હોય કે બોલિવૂડ સ્ટાર્સ. સેલિબ્રિટીઝ તેમની સ્ટાઇલ, ફિટનેસ અને ખાવાની આદતો વિશે ચર્ચામાં રહે છે, કારણ કે ચાહકો સેલિબ્રિટીઝ વિશે બધું જાણવા માગે છે. વિરાટ કોહલીથી લઈને શ્રુતિ હાસન અને મલાઈકા અરોરા સુધી પણ કાળું પાણી પીતાં જોવાં મળ્યાં છે. આ પાણીને આઇકલાઇન વોટર કહેવામાં આવે છે.

પાણી આપણા બધાની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફિલ્ટર કરેલું પાણી પીવામાં આવે છે, જેથી તેમાં કોઈ અશુદ્ધિઓ ન રહે અને કુદરતી રીતે બનતા પાણીમાં કેટલાક પ્રમાણમાં ખનિજો પણ હોય છે. હાલમાં કાળું એટલે કે આઇકલાઇન વોટર સેલિબ્રિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ કે કાળું પાણી સામાન્ય પાણીથી અલગ શું છે.

સેલિબ્રિટીઝ કાળું પાણી પીવે છે. તેનો સ્વાદ લગભગ સામાન્ય પાણી જેવો જ છે, પરંતુ તેની કિંમત થોડી વધારે છે. પોષણ મૂલ્ય જેવા ઘણા કારણો છે જે આ કાળા પાણીને ખાસ બનાવે છે. આ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. ચાલો જાણીએ કાળા પાણીની ખાસિયત.

pH સ્તરમાં તફાવત છે

સેલિબ્રિટીઓ જે કાળું પાણી પીવે છે તે આલ્કલાઇન પાણી છે. સામાન્ય પાણીનું pH 6થી 7 ની વચ્ચે હોય છે, પરંતુ આ કાળા પાણીનું pH 7, 8 કે 9 થી વધુ હોય છે. તે એસિડિટીનું કારણ નથી, કારણ કે તે શરીરની એસિડિટી ઘટાડવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે, તે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે અને ફિટ રહેવામાં મદદ કરે છે.

ખનિજોનું પ્રમાણ વધારે છે

પાણીમાં કેટલાક ખનિજો કુદરતી રીતે પણ જોવા મળે છે, પરંતુ જ્યારે પાણી ફિલ્ટર કરવામાં આવે છે, ત્યારે ઘણી વખત આ ખનિજો પણ નાશ પામે છે. કાળા પાણીમાં ઘણા ખનિજો અલગથી ઉમેરવામાં આવે છે, જે શરીરને સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

કાળા પાણીના સ્વાસ્થ્ય લાભો

આલ્કલાઇન કાળું પાણી પીવાથી શરીરને ડિટોક્સિફાઇ થાય છે. તેનું pH સ્તર શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. કાળું પાણી સામાન્ય પાણી કરતાં શરીરને હાઇડ્રેટ કરવામાં વધુ મદદરૂપ છે. આ ઉપરાંત કાળા પાણીના કેટલાક અન્ય ફાયદાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે,
જેમ કે બ્લડ સુગર કંટ્રોલ, ઊંઘમાં સુધારો, હૃદય રોગનું જોખમ ઓછું, મજબૂત હાડકાં માટે મદદરૂપ થાય છે.

આ જાણવું મહત્ત્વપૂર્ણ છે

આ કાળાં પાણી કેટલું ફાયદાકારક છે તે અંગે ખૂબ જ મર્યાદિત વૈજ્ઞાનિક પુરાવા છે, જ્યારે તે કોઈપણ રોગને મટાડવામાં મદદરૂપ નથી. ક્ષારયુક્ત અને ખનિજોની માત્રાને કારણે, તે ફક્ત સ્વસ્થ રહેવાના વિકલ્પ તરીકે જ પી શકાય છે અને આમાં પણ, તમારા માટે યોગ્ય બ્રાન્ડ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય ચિંતા હોય, તો તમારા રૂટીનમાં કાળા પાણીનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટર અથવા પ્રમાણિત ડાયેટિશિયનની સલાહ લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button