નેશનલ

પંજાબમાં રેલ રોકો આંદોલન

અનેક ટ્રેનો રદ, અનેક ટ્રેનના રૂટ ડાઇવર્ટ

પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસના રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. રેલ રોકો આંદોલનનો આજે બીજો દિવસ છે. ઉત્તર ભારતના 6 રાજ્યોના 19 ખેડૂત સંગઠનો અમૃતસર, જલંધર કેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રેલ રોકો આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં અમૃતસર-જયનગર, અમૃતસર-અજમેર અમૃતસર-બિલાસપુર, કટિહાર-અમૃતસર, નવી દિલ્હી-અમૃતસર, મુંબઈ-અમૃતસર, 14617 બનમંખી-અમૃતસર, જયનગર-અમૃતસર, કોલકાતા-અમૃતસર, ન્યુઝાલપાઈગુડી-અમૃતસર, મુંબઈ-અમૃતસર, ડી. -ફિરોઝપુર ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આજે અને શનિવારે પણ રેલ સેવા ખોરવાઈ જવાની સંભાવના છે.

ખેડૂત સંગઠનોએ ત્રણ દિવસીય ‘રેલ-રોકો’ આંદોલનના ભાગરૂપે ગુરુવારે ટ્રેનના પાટા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું છે, જેના કારણે ફિરોઝપુર ડિવિઝનની ઓછામાં ઓછી 18 ટ્રેનોને અસર થઈ છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં અનેક ખેડૂત સંગઠનો ત્રણ દિવસના ‘રેલ રોકો આંદોલન’ પર છે. આ રેલ રોકો આંદોલનનો આજે બીજો દિવસ છે. આ આંદોલન દ્વારા ખેડૂતો તાજેતરના પૂરને કારણે થયેલા નુકસાન માટે નાણાકીય પેકેજ, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી, લોન માફી અને અન્ય ઘણી માંગણીઓ સામે વિરોધ કરી રહ્યા છે.


ફિરોઝપુર (FZR) ડિવિઝનના એક રેલવે અધિકારીએ જણાવ્યું કે રેલ રોકો આંદોલનના પહેલા દિવસે અત્યાર સુધીમાં 18 ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ છે.


આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ દિવસના આંદોલનનું એલાન એક મહિના પહેલા આપવામાં આવ્યું હતું. સરકારે ત્યાં સુધીમાં અમારી માંગણીઓ ઉકેલવી જોઈતી હતી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી માંગણીઓ પર વાત કરે અને ઉકેલ આપે.


ઉત્તર ભારતમાં પાકને અસર કરતા પૂરના કારણે થયેલા નુકસાનના વળતરની માંગ સાથે આંદોલન કરવા હજારો ખેડૂતો તેમના ટ્રેક્ટર અને બાઇક પર દેવી દાસપુરામાં એકઠા થયા છે. ઉત્તર ભારતમાં 18 યુનિયનોએ આંદોલન શરૂ કર્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહ અગાઉ અમૃતસર આવ્યા હતા અને એમએસપી ગેરંટી કાયદો લાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી સમિતિની રચના કરવામાં આવી નથી. સાથે સાથે દિલ્હી આંદોલન દરમિયાન જે કેસ નોંધાયા હતા તે હજુ પરત લેવામાં આવ્યા નથી. આ આંદોલનો દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરીની ખાતરી આપવામાં આવી હતી, જે હજુ સુધી મળી નથી. આ સિવાય આંદોલનકારીઓ પૂર પેટે વળતર તરીકે 50,000 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…