ટોપ ન્યૂઝનેશનલ

10 દિવસ પહેલા મંત્રી બનેલા ભાજપના નેતા પેટા ચૂંટણીમાં હારી ગયા

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અહીંથી ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પેટાચૂંટણી પહેલા જ ભાજપે ટીટીને ભજનલાલ કેબિનેટમાં મંત્રી બનાવ્યા હતા. તેથી આ ચૂંટણીમાં ભાજપ માટે ઘણું બધુ દાવ પર લાગેલું હતું. કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહ કુનરે સુરેન્દ્ર પાલ ટીટીને 12 હજાર મતોથી હરાવ્યા છે. ગત મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન વિધાનસભ્ય ગુરમીત સિંહ કુનરના નિધનને કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી.

કોંગ્રેસે આ બેઠક પરથી કુનરના પુત્ર રુપિન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જે 12,570 મતોથી ચૂંટણી જીતી ગયા હતા. તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર પાલ ટીટીએ બરાબર 10 દિવસ પહેલા 30 ડિસેમ્બરે મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને ભજનલાલ સરકારમાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. તેમણે જયપુરના રાજભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.

મંત્રી બન્યા બાદ સુરેન્દ્ર પાલ સિંહને પોતાની જીતને લઈને ઘણો વિશ્વાસ હતો. તેમણે કહ્યું હતું કે શ્રીકરણપુરના મતદાતાઓ ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર છે. હું ચોક્કસપણે ચૂંટણી જીતીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીએ મારા થકી શીખ સમુદાયનું સન્માન કર્યું છે. ભાજપ તમામ 36 સમુદાયોને સાથે લે છે. આપણો સમાજ પણ આમાં છે.


પરિણામ જાહેર થતાની સાથે જ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે શ્રીકરણપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રુપિન્દર સિંહ કુન્નરને તેમની જીત માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ વિજય સ્વ.ગુરમીત સિંહ કુનરના જનસેવાના કાર્યોને સમર્પિત છે. શ્રીકરણપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગૌરવને હરાવ્યું છે.


શુક્રવારે શ્રીગંગાનગરની શ્રીકરણપુર સીટ પર 81.38 ટકા મતદાન થયું હતું. મતગણતરીનાં દિવસે એટલે કે આજે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઈવીએમની ગણતરી 14 ટેબલ પર કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની ગણતરી માટે એક ટેબલ રાખવામાં આવ્યું હતું.


અગાઉ રાજ્યમાં કુલ 199 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 115 બેઠકો મળી હતી. કોંગ્રેસે 69 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે સુરેન્દ્ર પાલ સિંહે મંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસે પણ તેની સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ઉમેદવારની જીત અથવા હારના પરિણામોની જાણ થાય તે પહેલાં જ મંત્રીના પદના શપથ લેવડાવે તે ગેરકાયદેસર છે.


નિયમો અનુસાર મંત્રી બન્યા બાદ સુરેન્દ્ર પાલ સિંહ પાસે વિધાનસભ્ય તરીકે ચૂંટાવા માટે છ મહિનાનો સમય હતો. 15 ડિસેમ્બરે ભાજપના ભજનલાલ શર્માએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નવા ચૂંટાયેલા વિધાનસભ્ય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral