પહેલી મેચ હાર્યા પછી શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે શું?

બર્મિંગહામ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની લીડ્સ ટેસ્ટની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા પ્લેઈંગ ઈલેવનની પસંદગી છે. પહેલી મેચમાં કેટલાક ખેલાડીઓએ નિરાશાજનક પ્રદર્શન કર્યું, જેના કારણે કેપ્ટન શુભમન ગિલ પર ટીમમાં ફેરફારનું દબાણ છે.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં હારનો સામનો કર્યો. BCCIએ આ શ્રેણી માટે શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડીને પેસ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કર્યા હતા. પહેલી મેચમાં શુભમન ગિલે શાર્દુલ ઠાકુરને તક આપી, પરંતુ તેઓ બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યા. આના કારણે બીજી મેચમાં તેમની સ્થાનમાં ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: કૅપ્ટન બેન સ્ટૉક્સના મતે ભારતને હરાવવા પાછળનું સૌથી મોટું કારણ કયું જાણો છો?
શાર્દુલનું નબળું પ્રદર્શન
શાર્દુલ ઠાકુરે પહેલી મેચની પ્રથમ ઈનિંગમાં 8 બોલમાં માત્ર 1 રન બનાવ્યો, જ્યારે બીજી ઈનિંગમાં 12 બોલમાં 4 રન કર્યા. બોલિંગમાં પણ તેણે નિરાશાજનક પ્રદર્શન કર્યુ હતું. પ્રથમ ઈનિંગમાં 6 ઓવરમાં 38 રન આપ્યા અને એકપણ વિકેટ ન લીધી, જ્યારે બીજી ઈનિંગમાં 10 ઓવરમાં 51 રનના બદલે 2 વિકેટ લીધી. આ પ્રદર્શન ટેસ્ટ સિરિઝમાં ખુબ જ નબળુ કહેવાય.
નીતિશ રેડ્ડીની તક
ઉલ્લેકનીય છે કે બીજી મેચમાં આ તક નીતિશ કુમાર રેડ્ડીને મળી શકે છે. નીતિશે અત્યાર સુધી 5 ટેસ્ટ મેચમાં 298 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે, અને આ સાથે તેણે 5 વિકેટ પણ લીધી છે. જોકે તેમનો અનુભવ ઓછો છે, તેમ છતાં તેમનું પ્રદર્શન આશાસ્પદ રહ્યું છે. શુભમન ગિલ આગામી મેચમાં શાર્દુલને બહાર કરીને નીતિશને તક આપે છે કે નહીં, તે મેચના દિવસે જ ખબર પડશે.