IPL 2024

આજે આ કારણે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને રમી રહી છે…BCCIએ પોસ્ટ કરી સ્પષ્ટતા

લખનઊ: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નવાબો કે શહેર લખનઊ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં જિત મેળવવા માટે ભારતીય ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ આજે ભારતીય ટીમ તેમની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર રમવા ઉતરી છે.

આ પાછળનું કારણ ખૂબ જ દુઃખદ છે.BCCI દ્વારા ખુદ આ કારણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું. વર્લ્ડકપ-2023 દરમિયાન આ ભારતીય ટીમની છટ્ઠી મેચ છે અને અત્યાર સુધીની રમાયેલી તમામ પાંચે પાંચ મેચમાં ભારતે જીત હાંસિલ કરી હતી. ઈકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આજની આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ જયારે ઓપનિંગ કરવા આવ્યા ત્યારે તેમના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. ભારતીય ખેલાડીઓના હાથ પર કાળી પટ્ટી બાંધવા પાછળનું કારણ ખુબ જ દુઃખદ છે અને બીસીસીઆઈએ એક્સ (પહેલાંનું ટ્વિટર) પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી.

ભારતીય ટીમે દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીની યાદમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવાનું નક્કી કર્યું છે. અહીંયા તમારી જાણ માટે કે ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું હાલમાં જ નિધન થયું હતું. આ દિગ્ગજ ક્રિકેટરના સમ્માનમાં ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા હતા.

ટોસ બાદ BCCIએ એક્સ પર આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે ‘ICC Mens Cricket World Cup 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી અને ભારતના આ દિગ્ગજ ખેલાડીને આદરાંજલિ આપી હતી.

આ પહેલાં પણ રમાયેલી ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી કાળી પટ્ટી પહેરીને મેદાનમાં રમવા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફવાદ અહમદના 4 મહિનાના દીકરાના નિધનને કારણે ટીમે આ નિર્ણય લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…