ઓસ્ટ્રેલિયા-એ સામેની સિરિઝમાં અમ્પાયરિંગ કરશે તન્મય અને અજિતેશઃ કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે અંડર-19 વર્લ્ડકપ...
સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા-એ સામેની સિરિઝમાં અમ્પાયરિંગ કરશે તન્મય અને અજિતેશઃ કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે અંડર-19 વર્લ્ડકપ…

કાનપુરઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 2008નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય અંડર-19 ટીમના મુખ્ય સભ્યો તન્મય શ્રીવાસ્તવ અને અજિતેશ અર્ગલ ઓસ્ટ્રેલિયા-એ સામે ઈન્ડિયા-એ ની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે.

35 વર્ષીય શ્રીવાસ્તવ અને 37 વર્ષીય અર્ગલની ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી થઈ શકે છે પરંતુ આ વખતે તેઓ ખેલાડીઓને બદલે અમ્પાયર તરીકે જોવા મળશે. કુઆલાલંપુરમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં મિડિયમ પેસર અર્ગલ દક્ષિણ આફ્રિકા સામે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શ્રીવાસ્તવે તે શ્રેણીમાં 262 રન કરીને પોતાની છાપ છોડી હતી.

કોહલી તેની ઉત્તમ ફિટનેસને કારણે હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમે છે અને ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે તૈયારી કરી રહ્યો છે, જ્યારે શ્રીવાસ્તવ અને અર્ગલ કાનપુરમાં ત્રણ મેચની વનડે શ્રેણીમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. શ્રીવાસ્તવે આઈપીએલની છેલ્લી સીઝનમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું અને તે પહેલાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કર્યું હતું.

બંનેએ 2023માં બીસીસીઆઈ અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી હતી અને રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા-એ સીરિઝ અત્યાર સુધીની તેમની સૌથી મોટી જવાબદારી રહેશે.

ખેલાડી તરીકે અર્ગલની સિનિયર કારકિર્દી ખાસ સફળ રહી ન હતી. તેણે ફક્ત 10 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. શ્રીવાસ્તવ લગભગ 10 વર્ષ સુધી ઉત્તર પ્રદેશ ટીમને નિયમિત સભ્ય હતો અને 90 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યો હતો. જોકે, તેમણે ક્યારેય ભારતીય ટીમ તરફથી રમી શક્યો નથી.

ભારતીય ક્રિકેટમાં ઘરેલુ અમ્પાયરોનું ધોરણ વર્ષોથી નબળું રહ્યું છે. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ફક્ત નીતિન મેનન જ આઈસીસીના એલિટ પેનલનો ભાગ છે. જ્યારે અર્ગલ અને શ્રીવાસ્તવ માટે હજુ શરૂઆતના દિવસો છે. બંને સતત સારું પ્રદર્શન કરવા અને આઈસીસી અમીરાત પેનલ અને પછી એલિટ પેનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો…રોહિતે હિન્દુસ્તાનને 16 વર્ષ આપ્યા, આપણે તેને એક વર્ષ પણ ન આપ્યું: મોહમ્મદ કૈફ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button