IPL 2024સ્પોર્ટસ

રોહિત શર્મા મુદ્દે ગાવસ્કરે આપ્યું મહત્ત્વનું નિવદેન

મુંબઇઃ ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા આ ટીમમાં નવી વિચારસરણી લાવશે, કારણ કે રોહિત થાકી ગયો હોય તેવું લાગતું હતું અને તે બેટિંગમાં પણ યોગદાન આપી રહ્યો નહોતો.

ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિકને મંગળવારે દુબઈમાં યોજાનારી આઇપીએલની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો બાદમાં મુંબઈએ તેને નવો કેપ્ટન બનાવ્યો હતો.

રોહિત અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. આ બંનેના નેતૃત્વમાં તેમની ટીમે પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ 2021 પછી ટાઈટલ જીતી શક્યું ન હતું અને 2022માં છેલ્લું સ્થાન મેળવ્યું હતું.

ગાવસ્કરે કહ્યું હતું કે રોહિત થાકેલા હોવાને કારણે આવું થઈ શકે છે કારણ કે તે સતત માત્ર આઇપીએલ ટીમ જ નહીં, પરંતુ ભારતના કેપ્ટનની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે તેમણે (મુંબઇ) ટીમના ફાયદા માટે આ નિર્ણય લીધો છે. આપણે કહી શકીએ કે બેટિંગમાં પણ રોહિતનું યોગદાન થોડું ઓછું થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…