સ્પોર્ટસ

2011 વર્લ્ડ કપને લઇને ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં ભારત હાર્યા પછી આ જ વર્લ્ડ કપ નહીં, પરંતુ જૂના વર્લ્ડ કપ અંગે અલગ અલગ પ્રકારના નિવેદનો કરવામાં આવે છે, ત્યારે ગયા અઠવાડિયા દરમિયાન ભૂતપૂર્વ બોલર શ્રીસંત સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહેલા ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે 2011ના વન-ડે વર્લ્ડ કપને લઈને ફરી એકવાર મોટું નિવેદન આપ્યું હતું. રાજકારણી કમ ક્રિકેટર તરીકે જાણીતા ગંભીરે કહ્યું હતું કે કેવી રીતે કેટલાક ખેલાડીઓના પીઆર (પબ્લિક રિલેશન્સ) તેમને હીરો બનાવે છે, જ્યારે અન્યને ‘અંડરડોગ’ ટેગ માટે સમાધાન કરવું પડે છે.

ગંભીરે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું ઉદાહરણ ટાંકીને આ વાત કહી હતી. જો કે, ગંભીરને લાગે છે કે યુવરાજને તેના મહત્વપૂર્ણ યોગદાન માટે તેને ક્રેડિટ મળી નથી.

એક ઈન્ટરવ્યૂમાં ગંભીરે કહ્યું હતું કે યુવરાજને તે ઓળખ મળી નથી જેનો તે હકદાર હતો, કારણ કે તેની પાસે સારી પીઆર એજન્સી નથી. ભારતના ભૂતપૂર્વ ઓપનરે ખેલાડીઓ માટે પીઆર એજન્સી તરીકે કામ કરવા બદલ ‘બ્રૉડકાસ્ટર્સ’ની પણ આકરી ટીકા કરી હતી.

ગંભીરને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત જીત્યું ત્યાં સુધીમાં માહીની ઈનિંગ્સ તમારી ઈનિંગ્સ પર છવાયેલી હતી તો તેના જવાબમાં ગંભીરે કહ્યું હતું કે જ્યારે લોકો ઇનિંગ્સ અથવા ઓછા રેટિંગ ધરાવતા ખેલાડીઓ વિશે વાત કરે છે ત્યારે તેઓ વાસ્તવમાં એવા હોય છે જેઓ કોઈની પણ પ્રશંસા કેવી રીતે કરવી તે જાણતા નથી.

ગંભીરે કહ્યું હતું કે જો આજે મારી પાસે મશીનરી છે અને મારે બે લોકોને પસંદ કરવાના છે જ્યાં હું એક વ્યક્તિને બે કલાક અને પચાસ મિનિટ માટે અને બીજી વ્યક્તિને માત્ર 10 મિનિટ માટે બતાવું છું તો બે કલાક અને 50 મિનિટ માટે બતાવેલ વ્યક્તિ બ્રાન્ડ બની જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!