સ્પોર્ટસ

ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ક્રોલી અને પોપની અસલી કસોટીઃ જ્યોફ્રી બોયકોટ

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જેની પહેલી મેચ 21 નવેમ્બરથી શરૂ થશે.

પોતાના સમયના અનુભવી બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ વાત સાથે સહમત નથી કે ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ઓલી પોપે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી હોવા છતાં તેમની ‘ટેકનિકલ અને માનસિક સમસ્યાઓ’ દૂર કરી છે અને તેમનું માનવું છે કે તેમનો વાસ્તવિક પડકાર આવતા મહિને ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આવશે.

આપણ વાંચો: હવે રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટેસ્ટની નિવૃત્તિ માટે આપ્યું ચોંકાવનારું નિવેદન

છેલ્લા કેટલાક મહિના ક્રોલી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેણે ન્યૂ ઝીલેન્ડમાં સંઘર્ષ કર્યો, જ્યાં તેની સરેરાશ નવથી ઓછી હતી અને બધી છ ઇનિંગ્સમાં મેટ હેનરીએ તેને આઉટ કર્યો હતો. પોપ માટે 2024 પણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. હૈદરાબાદમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં 196 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ તેના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ હતો.

જ્યોફ્રી બોયકોટે લખ્યું હતું કે અમે હજુ સુધી એવું તારણ કાઢી શકતા નથી કે ક્રોલી અને પોપે તેમની ટેકનિકલ અને માનસિક સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો છે, જે તેમની કારકિર્દીને અસર કરી રહી હતી, કારણ કે ઝિમ્બાબ્વેની બોલિંગ ખૂબ જ સામાન્ય હતી.

આપણ વાંચો: ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી…

ઇંગ્લેન્ડના ટોચના ત્રણ બેટ્સમેન ક્રોલી, બેન ડકેટ અને પોપે સદી ફટકારી હતી. યજમાન ટીમે ઝિમ્બાબ્વે સામે છ વિકેટે 565 રન પર પોતાનો દાવ જાહેર કર્યો હતો. ઈંગ્લેન્ડે આ એક માત્ર ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 45 રનથી જીતી હતી.

બોયકોટે કહ્યું હતું કે તે મિડિયમ પેસર બોલર હતા, જે ક્રોલી અને પોપની બેટિંગમાં કોઈ ખામીઓ ઉજાગર કરવા માટે એટલા સારા નહોતા. સારા બોલરો સામે ખરેખર કોઈ સુધારો થયો છે કે નહીં તે જોવા માટે આપણે ભારત સામેની શ્રેણી સુધી રાહ જોવી પડશે. આ તેમના માટે વાસ્તવિક કસોટી હશે અને આના પરથી આપણે વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકીશું કે તેઓ હાલમાં ક્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button