રાજીવ શુકલા સંભાળશે બીસીસીઆઈની કમાન, રોજર બિન્ની બાદ બનશે કાર્યકારી અધ્યક્ષ

મુંબઈ : બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુકલા આગામી ત્રણ માસ માટે બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ અંગે મળતી માહિતી મુજબ 70 વર્ષીય રોજર બિન્ની 19 જુલાઈએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.
આ પદ માટે રોજર બિન્નીની વય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. રાજીવ શુક્લા હાલમાં ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. તેમજ એવી ચર્ચા પણ છે કે રાજીવ શુકલા બીસીસીઆઇના નવા પ્રમુખ બનશે.
આપણ વાંચો: બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ
ઉંમરના કારણોસર પ્રમુખપદ છોડવું પડશે
વર્ષ 1983 ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી રહેલા રોજર બિન્ની આ વર્ષે 19 જુલાઈએ 70 વર્ષના થશે. બીસીસીઆઈ ના નિયમો મુજબ 70 વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ પ્રમુખ પદ પર સેવા આપી શકતી નથી.
આ કારણોસર તેમણે પોતાનું પદ છોડવું પડશે. તેમજ જ્યાં સુધી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પ્રમુખ પદ માટે પસંદ ન થાય ત્યાં સુધી રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખની ભૂમિકા ભજવશે.
આપણ વાંચો: બુમરાહે બીસીસીઆઈને કહી દીધું છે કે ‘ ઇંગ્લૅન્ડમાં હું…’
રોજર બિન્ની વર્ષ 2022 માં બીસીસીઆઈ ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા
તમને જણાવી દઈએ કે રોજર બિન્ની વર્ષ 2022 માં બીસીસીઆઈ ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે સૌરવ ગાંગુલીની જગ્યા લીધી હતી. બિન્નીની ગણતરી ભારતના સારા બોલરોમાં થાય છે.
તેમની કારકિર્દી અંગે વાત કરીએ તો રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 ODI રમી હતી. બંને ફોર્મેટમાં તેમણે કુલ 126 વિકેટ લીધી હતી. રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી.
આપણ વાંચો: આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ
રાજીવ શુક્લા હાલ બીસીઆઈના ઉપપ્રમુખ
રાજીવ શુક્લા વર્ષ 2020 થી બીસીસીઆઈ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2017 સુધી ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવ તરીકે પણ કામ કર્યું છે. રાજીવ શુક્લા વર્ષ 2018 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ પણ હતા.