રાત્રે સૂતા પહેલા પીઓ આ દેશી ઉકાળો: સટાસટ ઓગળશે પેટની વધારાની ચરબી…

Weight loss Tips: આજની બેઠાડુ જીવનશૈલી અને ખરાબ આહારને કારણે દેશ અને દુનિયામાં સ્થૂળતા (Obesity) એક મહામારી બની ગઈ છે. સ્થૂળતા હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા અનેક ગંભીર રોગોનું જોખમ વધારે છે. તેથી, ફિટનેસ પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. જો તમે ઝડપથી પેટની ચરબી ઘટાડવા માંગતા હો, તો નિયમિત કસરત અને સારા આહારની સાથે જીરું, અજમો અને તજમાંથી બનેલા આ ઘરેલું પીણાને તમારા દિનચર્યામાં સામેલ કરો.
કેવી રીતે વજન ઘટાડશે આ મિશ્રણ?
જીરું એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે થાઇમોલ નામનું સંયોજન ધરાવે છે, જે પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરીને પાચન સુધારે છે અને પેટનું ફૂલવું અટકાવે છે. અજમો મેટાબોલિઝમને વેગ આપીને વજન ઘટાડવામાં નોંધપાત્ર મદદ કરે છે. ખાલી પેટે તેનું પાણી પીવું ફાયદાકારક છે. તજ રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી ભૂખ ઘટે છે. તેમાં થર્મોજેનિક અસરો પણ છે, જે ચયાપચયને ઝડપી બનાવે છે અને ચરબી બાળવાની પ્રક્રિયાને વેગ આપે છે.

ઘરેલુ પીણું બનાવવાની સરળ રીત
તમે ઘરે આ પીણું સરળતાથી તૈયાર કરી શકો છો. સૌપ્રથમ એક ગ્લાસ પાણી લો. તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો અને તજનો એક નાનો ટુકડો ઉમેરો. પાણીને સારી રીતે ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી લો. આ પીણું દરરોજ સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પીવાથી પેટ અને કમરની આસપાસની જમા થયેલી ચરબી ઓગળવામાં મદદ મળે છે. આ દેશી પીણું માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ તે તમને અન્ય સ્વાસ્થ્ય લાભ પણ આપે છે:
જીરું, અજમો અને તજના મિશ્રણનું પાણી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે ગેસ, અપચો અને કબજિયાત જેવી સામાન્ય પાચન સમસ્યાઓમાં રાહત આપે છે, કારણ કે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો તમે પણ પેટની સમસ્યાઓ દૂર કરવા અને વજન નિયંત્રિત કરવા માંગતા હો, તો આ ઘરેલુ ઉપાય અવશ્ય અજમાવવી જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…સવાર સવારમાં પેટ સાફ ન આવે તો દિવસ બગડી જાય છે ને? પણ ચિંતા ન કરો, આ ઉપાય અજમાવો