શું ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ લેવી સુરક્ષિત છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું વિવાદીત નિવેદન | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શું ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ લેવી સુરક્ષિત છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું વિવાદીત નિવેદન

ગર્ભાવસ્થા એ માતા અને બાળક બંને માટે અનમોલ સમય હોય છે, આ સમય માતાએ પોતાની અને બાળકની તંદુસ્તી માટે ઘણી દવાઓ સેવન કરવું પડતું હોય છે. આ દવાઓમાં લગભગ પેરાસિટામોલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પેરાસિટામોલ હાલ ચર્ચાનો વિષય બની છે. કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરાસિટામોલ (અમેરિકામાં એસિટામિનોફેન તરીકે ઓળખાતું) વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે આ દવાના ઉપયોગથી બાળકોમાં ઓટિઝમનું જોખમ વધી શકે છે.

ટ્રમ્પનો પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો
વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જણાવ્યું કે, “અમને ઓટિઝમનો જવાબ મળી ગયો છે.” તેમણે દાવો કર્યો કે ગર્ભાવસ્થામાં મહિલાઓ દ્વારા એસિટામિનોફેનના ઉપયોગથી બાળકોમાં ઓટિઝમનું જોખમ વધે છે. તેમણે ગર્ભવતીઓને ચેતવણી આપી કે આ દવા માત્ર અત્યંત જરૂરી હોય તો જ લેવી, કારણ કે તે બાળકોના વિકાસ પર અસર કરી શકે છે. જો કે આ સૂચના આપવા માટે તેમના આરોગ્ય મંત્રી રોબર્ટ એફ. કેનેડી પણ સાથ હાજર જોવા મળ્યા હતા. જે વાર્ષિક કારકો અને દવાઓને ઓટિઝમ સાથે જોડવા માટે જાણીતા છે.

FDA પર નવી જવાબદારી
ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એસિટામિનોફેનના લેબલ પર નવી ચેતવણી ઉમેરશે, જેમાં ગર્ભાવસ્થામાં તેના ઉપયોગ વિશે સાવધાની બતાવાશે. તેમણે કહ્યું, “અમે ગર્ભવતી મહિલાઓને કહીએ છીએ કે તેનો ઉપયોગ ટાળો, સિવાય કે તે તબીબી રીતે અત્યંત જરૂરી ન હોય.” અમેરિકામાં આ દવા Tylenol જેવા બ્રાન્ડ હેઠળ વેચાય છે, અને આ ચેતવણીથી FDAએ લેબલમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ, FDAએ ઓટિઝમના કેટલાક લક્ષણોના ઈલાજ માટે લ્યુકોવોરિન દવાની મંજૂરી પણ આપી છે.

નિષ્ણાતોનું માનનું છે કે આ દાવાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે કોઈપણ વહીવટના પ્રથમ વર્ષમાં આવા મોટા નિષ્કર્ષ કાઢવા જેવું નથી, અને ઓટિઝમ માટે વધુ ઊંડા સંશોધનની જરૂર છે. ઓટિઝમ જનીતિક અને પર્યાવરણીય કારકોનું જટિલ મિશ્રણ છે, અને પેરાસિટામોલને તેનું કારણ માનવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી. ભારતમાં પેરાસિટામોલને દાયકાઓથી ગર્ભાવસ્થામાં સૌથી સુરક્ષિત દવા માનવામાં આવે છે, અને આ નિવેદનથી તેના ઉપયોગ પર પ્રશ્નો ઉભા થયા છે.

રોબર્ટ એફ. કેનેડી જૂનિયર વાર્ષિકથી વેક્સિનને ઓટિઝમનું કારણ ગણાવતા આવ્યા છે, જોકે આ વિચાર વૈજ્ઞાનિક રીતે વારંવાર નકારાયો છે. તેમના આ નિવેદનથી આરોગ્ય નીતિઓ પર નવી ચર્ચા શરૂ થઈ છે, અને નિષ્ણાતો માતાઓને સલાહ આપે છે કે તેઓ તબીબી સલાહ વિના કોઈ દવા ટાળે. આ વિવાદ ઓટિઝમના કારણોને સમજવા માટે વધુ સંશોધનની માંગ કરે છે, જેથી માતૃ અને બાળ સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત બનાવી શકાય.

આ પણ વાંચો…શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button