રોગપ્રતિકારક શક્તિ વધારશે ગિલોય, ડાયાબિટીસથી લઈને સાંધાના દુખાવા સુધી અનેક રોગોમાં અસરકારક | મુંબઈ સમાચાર
હેલ્થ

રોગપ્રતિકારક શક્તિ વધારશે ગિલોય, ડાયાબિટીસથી લઈને સાંધાના દુખાવા સુધી અનેક રોગોમાં અસરકારક

Giloy health benefits: કુદરતમાં અનેક વસ્તુઓ એવી છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એવા ઘણા વૃક્ષો અને ફૂલ-છોડ છે, જેનાથી આપણી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. ગિલોય પણ એવી જ એક ઔષધિ છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છે. જો તમે ગિલોયનું યોગ્ય માત્રામાં સેવન કરો, તો તેના અનેક ફાયદાઓ છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ

બદલાતી ઋતુમાં જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાયરલ તાવનો ભય વધે છે, ત્યારે ગિલોયનો ઉકાળો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તેનું નિયમિત સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી તમે આવા રોગોથી બચી શકો છો.

ડાયાબિટીસ અને એનિમિયા માટે લાભદાયક

જો તમે સાંધાના દુખાવા કે સંધિવાના દર્દી છો, તો ગિલોયનું સેવન તમને ઘણી રાહત આપી શકે છે. આ ઉપરાંત, ગિલોયને લીવર માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ગિલોય પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ગિલોય વરદાન સમાન છે. જો તમને એનિમિયા (લોહીની ઉણપ)ની સમસ્યા હોય, તો ગિલોયનું સેવન કરવાથી આ સમસ્યાને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button