રાંધવાની આળસે તમે જો વારંવાર બ્રેડ ખાતા-ખવરાવતા હો તો ચેતી જાઓઃ બાકી મોટી કિંમત ચૂકવવી પડશે…

અમદાવાદ: આજની દોડતી દુનિયામાં શુધ્ધ અને સાત્વિક ભોજનની જગ્યા બ્રેડ બટરે લઈ લીધી છે. આજના સમયમાં સમયના અભાવે લોકો ઝડપથી બની જતુ બ્રેડ બટર ખાવું વધું પ્રિફર કરે છે. અથવા તો મેદાથી બનતી અલગ અલગ બ્રેડ લોકોનું સૌથી પ્રિય ખાણું બન્યું છે. પણ તમે જે બ્રેડમાત્ર 20 કે 30 રૂપિયા લઈ આવો છો તે તમને કેટલી મોંઘી તેની ખબર છે. બ્રેડથી શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે તે તમને ખબર હશે પણ આ બ્રેડ તમારા મનને પણ ખોતરી નાખે છે. બ્રેડ ખાવાથી માનસિક તકલીફો પણ થઈ શકે છે, તેમ નિષ્ણાતો જણાવે છે. તો આવો જાણીએ કે આ બ્રેડ તમારા તન અને મનને કઈ રીતે બગાડે છે
બ્રેડથી શારીરિક સમસ્યાઓનું જોખમ
બ્રેડમાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી બ્લડ સુગર ઝડપથી વધે છે, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે. તેમાં ફાઈબર અને વિટામિન-ઈની ઉણપ હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ વધારો થાય છે, જે હૃદયરોગનું કારણ બની શકે છે. ગ્લૂટેન અને રિફાઈન્ડ કાર્બ્સથી કબજિયાત, પેટનો દુખાવો કે ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ કેલરી અને કાર્બોહાઈડ્રેટને કારણે વજન પણ ઝડપથી વધે છે. બ્રેડમાં ઉપયોગ થતા રસાયણો લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના સંશોધન મુજબ, બ્રેડનું નિયમિત સેવન માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. રિફાઈન્ડ કાર્બ્સ અને ગ્લૂટેનથી ડિપ્રેશન, તણાવ અને એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે. વધુ પડતું સેવન શરીરમાં સોજો લાવે છે, જે મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે. રોજ બ્રેડ ખાવાથી ઓટો-બ્રૂઅરી સિન્ડ્રોમનું જોખમ વધે છે, જેમાં પેટમાં ખમીરની માત્રા વધવાથી ઇથેનોલ બને છે, જે નશાના લક્ષણો ઉત્પન્ન કરે છે.
બચાવના સરળ ઉપાયો
બ્રેડને રોજિંદા આહારનો ભાગ ન બનાવો. તેના બદલે રોટલી, દલિયા, ઉપમા કે પોહા જેવા વિકલ્પો અપનાવો. તાજા ફળો, અંકુરિત અનાજ અને દાળો પોષક તત્વો અને ફાઈબરથી ભરપૂર હોય છે. બ્રેડ ખરીદતી વખતે હોલ વીટ કે મલ્ટી-ગ્રેન વિકલ્પ પસંદ કરો અને રસાયણોની માહિતી તપાસો. પેટ કે માનસિક સમસ્યા દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.
આપણ વાંચો : તમને પણ Breakfastમાં Bread ખાવાનું ગમે છે? રિસર્ચમાં થયો Shocking ખુલાસો…