શુક્ર ગોચરથી આ ત્રણ રાશિઓને થશે ધનલાભ, કુંવારાને મળશે કન્યા તથા નોકરી-વેપારમાં થશે પ્રગતિ | મુંબઈ સમાચાર
રાશિફળ

શુક્ર ગોચરથી આ ત્રણ રાશિઓને થશે ધનલાભ, કુંવારાને મળશે કન્યા તથા નોકરી-વેપારમાં થશે પ્રગતિ

Shukra Gochar: દરેક ગ્રહ સમયાનુસાર ગોચર કરે છે. ગ્રહોના ગોચરની તમામ 12 રાશિઓ પર અસર પડે છે. જેનાથી રાશિઓને લાભ અને હાનિ બંને થઈ શકે છે. આગામી સમયમાં શુક્ર ગોચર થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહનું ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ ગોચરથી સિંહ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને ધન, સંબંધો અને કરિયરમાં લાભ થવાની શક્યતા છે.

અપરિણત લોકો માટે સર્જાશે લગ્ન યોગ

સિંહ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ અનુકૂળ રહેશે, કારણ કે શુક્ર તમારી રાશિના લગ્ન ભાવમાં સંચરણ કરશે. આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. વૈવાહિક જીવન સુખી રહેશે અને અંગત સંબંધોમાં સંતોષ જણાશે. તમે પરિવાર પર વધુ ધ્યાન આપી શકશો, જેનાથી સંબંધો મજબૂત થશે. વ્યવસાય કરનારા લોકોને ભાગીદારીના કામમાં લાભ થશે. અપરિણીત લોકો માટે લગ્નના યોગ બની રહ્યા છે.

દુકાનદારોને થશે ધનલાભ

તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયી રહેશે, કારણ કે શુક્ર તમારી રાશિના અગિયારમા ભાવમાં ભ્રમણ કરશે. તમારી આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. રોકાણથી પણ સારો લાભ મળવાની શક્યતા છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ પોતાના નિયમોને વળગી રહીને મુશ્કેલીઓનો સામનો કરી શકશે. પૈસા કમાવવાની નવી રીતો શોધવાના પ્રયાસો સફળ થશે અને દુકાનદારોને કોઈ સારી જગ્યાએથી ધનલાભ થઈ શકે છે.

નોકરિયાતોને મળશે માન-સન્માન

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન અત્યંત શુભ રહેશે, કારણ કે શુક્ર તમારી કુંડળીના કર્મ ભાવમાં સંચરણ કરશે. તમારા કામ અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નોકરિયાત લોકોને ઓફિસમાં માન-સન્માન અને નવી જવાબદારીઓ મળશે. તમારી નેતૃત્વ અને મેનેજમેન્ટની ક્ષમતા વધુ સારી થશે. બેરોજગારોને નોકરી મળવાની પ્રબળ સંભાવના રહેશે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો…છ યોગનો મહાસંયોગ થશે ગણેશ ચતુર્થી પરઃ આ બે રાશિના જાતકો પર થશે દુંદાળાદેવની કૃપા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button