આદિવાસી રાષ્ટ્રપતિ
ભારતના પંદરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂબહેનને મુબારક દ્રૌપદીબહેન રબર સ્ટેમ્પ બની કામ ન કરે તો હિન્દુસ્તાનમાં થોડો સુધારો થઇ શકે એમ છે. આની ભીતી મુંબઈ સમાચારના એકસ્ટ્રા અફેરમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરત ભારદ્વાજે સાચું કહ્યું છે પીલાતી રીબાતી ગરીબ જનતાની વેદના એક આદીવાસી બહુ સારી પેથે જાણે છે.
અત્યારે દેશની કફોડી હાલતથી દ્રૌપદીબહેન અજાણ તો નહીં જ હોય અને જો હાથો બનીને કામ કરવાનો ખરાબ સમય આવે તો સ્વમાનભેર આ પદ ત્યાગી દેવું.
મોંઘવારીએ લોકોની કેડ ભાંગી નાખી ભ્રષ્ટાચાર બે પ્રકારના છે એક ઇન્ડોર બીજો આઉટડોર આ માઇનડોર ઘણો મોટો છે.
દેશના મુકબધીર બુદ્ધિજીવો સમજી ગયા હશે કે? સમજદારને ઇશારો કાફી આઈટીનું કામ ઈડી કરે છે કે શું?
હાજી યુસુફભાઇ, કરાચીવાલા
——–
અંધેરી ઇસ્ટમાં ટિકિટ બારી
આજે અંધેરીમાં મેટ્રો ટ્રેઇનમાંથી ઉતરી અનેક યાત્રાળુઓ વેસ્ટર્ન રેલવે ટ્રેન પકડવા ઉપરને ઉપર જ વે.હે. સાઇડમાં આવે છે. એમાનાં ઘણાં મારી જેવા સિનિયર સિટિઝનો હોય છે. વેસ્ટર્ન રેલવે સાઇડમાં ઉપરની બાજુ ઇસ્ટમાં કોઇ ટિકિટ બારી નથી. હા, મશીનો ઘણાં હોય છે. જેમાં આપ મોબાઇલ એપથી ટિકિટ કઢાવી શકો છો. પરંતુ રોકડા રૂપિયા દઇ ટિકિટ લેવાની બારી હતી જે હાલ બંધ કરી દેવામાં આવી છે. એટલે જેને મોબાઇલમાં સગવડતાં ન હોય એને ટિકિટ લેવા દાદર ઉતરી ઘણું બધું ચાલી નીચે ટિકિટ લેવા જવું પડે છે. તો વેસ્ટર્ન રેલવેને વિનંતી છે કે મેટ્રોમાંથી આવનાર માટે બે બારી તો રાખવી જોયે અને બે બારીમાં પણ ઘણી જ લાઇન લાગે છે.
જયસુખલાલ વોરા, અંધેરી (પૂર્વ).
——-
તહેવારો અને ઘોંઘાટ
ઘોંઘાટીયા તહેવારો વિશે સરકારે કોઇ માર્ગદર્શિક બતાવવી જોઇએ. બીજાને ત્રાસ આપી તહેવારો મનાવવાનો કોઇ અર્થ નથી. ગણેત્સોવના ૧૦ દિવસો, નવરાત્રિના ૧૦ દિવસો દિવાળીના ૪-૫ દિવસો વિગેરે ઘણા ઘોઘાટીયા તહેવારો છે. જેમાં આજ-કાલ ડિજિટલ આવાજ જેની ભયંકર ધ્રૂજારી મનને તેમ જ હૃદયને ઘણું જ નુકસાન પહોંચાડે છે. ઘોઘાટીયા તહેવારોમાં આખો દિવસ લાઉડ સ્પીકર ચાલુ રહે છે. નવરાત્રિમાં રાતના ૧૦-૧૨ વાગ્યા સુધી કાન ફાટી જાય તેવો અવાજ ચાલુ હોય છે. જેનાથી ઘણા વૃદ્ધો ને તેમ જ સારવાર હેઠળ મરીજોને હદ બહાર તકલીફો થાય છે. તેમાં હાર્ટ એટેકના પણ પ્રમાણ વધી જાય છે. તહેવારો મનાવવાની મનાઇ નથી પણ બીજાને તકલીફ ન પડે એ રીતે તહેવારો મનાવવા જોઇએ તેમાં કડક કાયદો બનાવવો જરૂરી બને છે અને તે કાયદાનો કડક અમલ થવો જોઇએ. જેથી બીજાને તકલીફો ન થાય બીજાને તકલીફ આપ્યા વગર જો તહેવારો મનાવશો તો દેવી-દેવતા પણ પૂરા થઇ આશીર્વાદ આપશે. નહીં તો તેઓ પણ નારાજ થઇ જશે. તે પ્રજા પણ આ બાબતે યોગ્ય વિચારે અને સરકાર પણ યોગ્ય માર્ગદર્શિકા બનાવે તેવી આશા સાથે.
રાજકુમાર ગાલા, ઘાટકોપર