પ્રજામત

પ્રજામત

તમારા વર્તમાનપત્રમાં ફક્ત “મરણ નોંધ” શીર્ષક જ રાખો
તમારું વર્તમાનપત્ર અમે નિયમિત વાંચીએ છીએ. તે સૌને ખુબ સારુ વાંચન પૂરુ પાડે છે, સારા વાણી, વર્તન અને વિચારો ફેલાવે છે. તે આપણી માતૃભાષા ગુજરાતીને ઘણાં વર્ષોથી ધબકતી રાખે છે. ગુજરાતી વર્તમાનપત્રો દ્વારા આપણી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. તમારા વર્તમાનપત્રમાં “મરણ નોંધ” વિભાગ છે, તેમાં ધર્મ આધારિત શીર્ષક આપો છો, જેમ કે: હિન્દુ મરણ, જૈન મરણ વગેરે તેના બદલે ફક્ત “મરણ નોંધ” શીર્ષક જ રાખો અને ધર્મ આધારિત શીર્ષક ન આપો, એવું અમારું સૂચન છે, જેથી તમારું વર્તમાનપત્ર વાંચતા લોકોમાં ભાગલાની ભાવના ન જાગે અને તમારા વર્તમાનપત્રની અંદર જગ્યા પણ બચે. અમને આશા છેક અમારું સૂચન તમને ખુબ ઉપયોગી થશે અને તેનો તમે અમલ કરાવશો.

  • સી.એ. મહેન્દ્ર સદલાણી,
    પૂ. પ્રમુખ અને સલાહકાર, ગુજરાતી વિચાર મંચ, મુલુન્ડ

ગૃહલક્ષ્મીમાં ખોટ ક્યાંથી આવી?
જયારે કોઇના ઘરે પુત્રીનો જન્મ થાય છે. તો બધા ખુશ થાય છે કે ઘરમાં લક્ષ્મીજીનો જન્મ થયો ઘરમાં લક્ષ્મીમાં પધાર્યા પછી એ પુત્રી લાડમાં ઉછરે છે. મોટી થાય છે. પરણે છે. સાસરે ગૃહલક્ષ્મી બનીને આવે છે. ત્યારે સમસ્યાઓની શરૂઆત થાય છે. પુત્રી પરણી સાસરે ગૃહલક્ષ્મી બની આવે છે. પણ… આજ કાલ વૃદ્ધાશ્રમોનો વધારો થઇ રહ્યો છે.
તેમાં જે વૃદ્ધ માતા-પિતા આવે છે. તેમાં 60થી 70 ટકા વૃદ્ધોને તેનો પુત્ર લગ્ન થયા પથી વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. તો ખોટ ક્યાં આવી? કેમ ગૃહલક્ષ્મી પોતાના વૃદ્ધ સાસુ-સસરાને સાથે રાખવા નથી માગતા? તો કેમ આટલી બદલાઇ જાય છે? શું આવી પુત્રવધૂ ને ગૃહલક્ષ્મી કહેવાય? આવી ખોટ કયાંથી આવી? શું માતા-પિતાના સંસ્કારમાં ઊણપ આવી કે કળીયુગની મેન્ટાલીટીમાં? કે સહનશક્તિની કમી? કેન્સર વિગેરે બીમારીઓની રિસર્ચ કરવા જેટલી જ રિસર્ચ આ બાબતે કરવામાં આવે તો આ સમસ્યાઓ ઘણી કમી આવે પાંચ આંગળીઓ સરખી નથી હોતી તેમ માતા-પિતા તથા સાસુ-સસરાના સ્વભાવમાં ફરક હોય છે. આ વાત દરેક પુત્રીને બચપણથી જ મગજમાં મુકવામાં આવે તો સારું. તેમ જ પુત્રી અને વહુના સ્વભાવમાં ઘણો ફરક હોય છે. આ બાબત સમજવી બહુ જરૂરી છે. આ બાબતે યોગ્ય રિસર્ચ કરી તેનો યોગ્ય નિકાલ લાવવો જરૂરી છે. જેથી વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટે અને વૃદ્ધો માનપૂર્વક જીવી શકે.

  • રાજકુમાર ગાલા, ઘાટકોપર (ઇસ્ટ).

રેલવેના ટોઈલેટ: સમયની માગ છે
બહારગામની મેલ એક્સપ્રેસ ટે્રનોમાં દરેક કોચમાં ત્રણ ભારતીય ટાઈપ અને એક વેસ્ટર્ન ટાઈપ ટોઈલેટની સુવિધા હોય છે. આજના જમાનામાં બાળકથી લઈને સિનિયર વ્યક્તિઓને વેસ્ટર્ન ટાઈપ ટોઈલેટમાં જવાની આદત હોય છે. તેથી ઘણીવાર એવું બને છે કે સવારના ભાગમાં વેસ્ટર્ન ટાઈપ ટોઈલેટમાં જવા માટે લાઈન લાગેલ હોય છે, જ્યારે ભારતીય ટાઈપ ટોઈલેટ ખાલી પડેલ હોય છે. તેથી રેલવે તંત્રને સૂચન છે કે દરેક કોચમાં એક ભારતીય ટાઈપ અને ત્રણ વેસ્ટર્ન ટાઈપ ટોઈલેટની સુવિધા કરવાની વિનંતી છે.

  • કિશોર પી. પટેલ, બોરીવલી (વેસ્ટ)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…