અયોધ્યાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલની નવી સીઝન પહેલાં આધ્યાત્મિક સફર કરી જેમાં તેમણે ભગવાન શ્રી રામ (Shri Ram)ના આશીર્વાદ લેવા અયોધ્યાના ભવ્ય રામ જન્મભૂમિ ટેમ્પલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પૂજા-અર્ચના વખતે હાજરી આપી હતી.
કૅપ્ટન રિષભ પંત તથા સાથી ખેલાડીઓ સાથે ટીમના માલિક સંજીવ ગોયેન્કા પણ હતા. `એક્સ' પર એલએસજીના સત્તાવાર હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું, `ડૉ. સંજીવ ગોયેન્કાએ તેમની ટીમ એલએસજીના કૅપ્ટન રિષભ પંત તેમ જ ટીમના અન્ય મેમ્બર્સ સાથે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી. જય શ્રી રામ.'
#WATCH | Ayodhya, UP: IPL team Lucknow Super Giants visited the Ram Mandir to seek blessings. Owner, Lucknow Super Giants, Sanjeev Goenka says, "... Offering prayers to Lord Ram is never enough, and with the IPL season about to begin, all the players offered prayers at the temple… pic.twitter.com/5U0839kX8p
— ANI (@ANI) March 21, 2026
ગોયેન્કાએ મંદિરમાં દર્શન કરી લીધા બાદ એએનઆઇને જણાવ્યું, `ભગવાન શ્રી રામની પ્રાર્થના ક્યારેય પર્યાપ્ત ન લાગે. મન થાય કે તેમની ભક્તિ કર્યા જ કરીએ. અમારી ટીમના ખેલાડીઓએ પણ શ્રી રામને પ્રાર્થના કરી. તેમના આશીર્વાદથી બધુ ઠીક થઈ જશે.'
Dr. Sanjiv Goenka visits Ram Janmabhoomi in Ayodhya along with captain Rishabh Pant and other members of the squad to receive blessings 🙏
— Lucknow Super Giants (@LucknowIPL) March 21, 2026
JAI SHREE RAM pic.twitter.com/OdcNmcp0zV
લખનઊની પ્રથમ મૅચ પહેલી એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામે રમાશે. ત્યાર પછી પાંચમી એપ્રિલે લખનઊનો મુકાબલો હૈદરાબાદ સામે, નવમી એપ્રિલે કોલકાતા સામે અને બારમી એપ્રિલે ગુજરાત સામે થશે.