શું છે લોન્ગ કોવિડની અસર? રિપોર્ટમાં થયો ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: ભારત સહિત દેશમાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે. દેશમાં એક મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે સુધીમાં ભારતમાં લગભગ 7264 સક્રિય કેસ નોંધાય ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે 108 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોનાનો નવો NB.1.8.1 વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટ ગંભીર નથી પરંતુ સંક્રમણનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં લોન્ગ કોવિડની સમસ્યાઓએ પણ ચિંતા વધારી છે, જે સ્વાસ્થ્ય પર લાંબો પ્રભાવ છોડે છે.
કોવિડના કેસ અને લોન્ગ કોવિડ
ભારતમાં એક દિવસમાં 119 નવા કેસ નોંધાયા, જ્યારે 11 લોકોના મોત નોંધવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે કોવિડમાંથી સાજા થયેલા દર પાંચમાંથી એક વ્યક્તિને એક વર્ષ સુધી સામાન્ય જીવન જીવવામાં સમસ્યાઓ રહે છે. 1,450થી વધુ દર્દીઓના ડેટાના વિશ્લેષણમાં સામે આવ્યું કે 25% લોકોને કોરોનાને ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
લોન્ગ કોવિડના લક્ષણો
36% લોકો લોન્ગ કોવિડનો અનુભવ કરે છે, જેમાં શ્વાસની તકલીફ, ગંભીર થાક, માથાનો દુખાવો, તણાવ અને ચિંતા જેવા લક્ષણો લાંબા સમય સુધી રહે છે. આ લક્ષણોને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય સેવાઓ પર દબાણ વધે છે. ખાસ કરીને વૃદ્ધો અને પહેલાથી બીમાર લોકોમાં આ લક્ષણોનું જોખમ વધુ હોય છે, જેમને વધારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
હૃદય પર લાંબાગાળાની અસર
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19એ હૃદય સંબંધી મોતનું પ્રમાણ વધાર્યું છે. 2020થી હૃદય સંબંધી મોતમાં વધારો જોવા મળ્યો છે, કોરોના વાયરસે હૃદય રોગનું જોખમ વધાર્યું અને સ્વાસ્થ્ય સેવાઓ પર અસર કરી. નિષ્ણાતોના મતે માસ્ક, સામાજિક અંતર અને રસીકરણ જેવા નિવારક પગલા યથાવત્ રાખવા જરૂરી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં કોવિડ-19ના વધતા કેસ વચ્ચે આરોગ્ય પ્રધાને શું આપ્યું નિવેદન?