નેશનલ

ભાગેડુ વિજય માલ્યાએ માફી માંગી, ભારત આવવા વિષે પણ વાત કરી

લંડન: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ટાઈટલ જીત્યા બાદ ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)એ ટીમને અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતાં. હવે વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે કિંગફિશર એરલાઇન્સ(Kingfisher Airlines)ના પતન અંગે વાત કરી હતી અને જે કર્મચારીઓ નોકરી ગુમાવી હતી તેમની માફી માંગી (Mallya Apologies) હતી, તેમણે પહેલી વાર જાહેરમાં માફી માંગી છે. જોકે, તેમણે તેમના પર લાગેલા આરોપોને ભારપૂર્વક નકારી કાઢ્યા હતાં.

માલ્યાએ નવ વર્ષમાં પહેલીવાર મીડિયા સામે હાજરી આપી છે, એક પોડકાસ્ટ દરમિયાન તેમણે કિંગફિશરની સ્થપના અને પતન તથા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની સ્થાપના વિશે ખુલીને વાત કરી.

વિજય માલ્યાએ પર ભારતની કેટલીક બેંકો સાથે 9,000 કારોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે, ધરપકડથી બચાવ તેઓ ભારત છોડી ઇંગ્લેન્ડ નાસી ગયા હતાં. માલ્યાએ તાજેતરમાં X પ્રોફાઇલ પર ઇન્ટરવ્યૂની એક વિડીયો ક્લિપ શેર કરી છે. વીડિયોમાં, પોડકાસ્ટર માલ્યાને પૂછે છે, “જેમણે પોતાની નોકરી ગુમાવી છે તેમને તમે શું કહેશો? હજુ પણ કોને તમારા પ્રત્યે ગુસ્સો છે?”

માલ્યાએ જવાબદારી સ્વીકારી:

વિડીયોમાં માલ્યા જવાબ આપે છે, “હું કહીશ કે તેમની સાથે જે બન્યું તેના માટે મને ખૂબ જ દુઃખ છે, હું માફી માંગું છું. તેમાંના કેટલાકને તેમના પગાર ચૂકવવામાં આવ્યા નથી. મારી પાસે કોઈ બહાનું નથી. હું સંપૂર્ણ જવાબદારી લઉં છું.”

X પરની બીજી પોસ્ટમાં, માલ્યાએ લખ્યું, “મેં નવ વર્ષમાં પહેલી વાર પોડકાસ્ટ પર વાત કરી છે. હું કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને માફી માંગવા માંગુ છું અને હકીકતો અને સત્ય સાથે રેકોર્ડ ક્લિયર કરવા માંગુ છું.”

મલ્યાના આરોપ:

વીડિયોમાં માલ્યાએ એવો પણ આરોપ લગાવ્યો કે કોર્ટ પાસે પૈસા અનામત હતા અને તેમણે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓના પગારને ચુકવવા માટે અરજી દાખલ કરી હતી. તેમણે કોર્ટ અને બેંકો પર તેમની અરજીને નકારી કાઢવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભારત પરત ફરવા અંગે શું કહ્યું?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત પાછા ફરવાનું વિચારશે? ત્યારે તેમણે કહ્યું, “જો મને ભારતમાં ન્યાયી સુનાવણી અને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી મળે, તો હું તેના વિશે ગંભીરતાથી વિચારીશ.”

ભાગેડુ લેબલની વિષે શું કહ્યું?

તેમના પર લગાવવામાં આવેલા ભાગેડુ લેબલની વિષે માલ્યા એ કહ્યું, “તમે મને ભાગેડુ કહી શકો છો, પણ હું ભાગ્યો નથી. મેં અગાઉથી નક્કી કરેલી મુલાકાત માટે ઉડાન ભરી હતી. વાજબી રીતે, હું એવા કારણોસર પાછો ફર્યો નથી જે મને યોગ્ય લાગે છે… તેથી જો તમે મને ભાગેડુ કહેવા માંગતા હો, તો કહો. પણ ‘ચોર’ શબ્દ ક્યાંથી આવી રહ્યો છે?”

આ પણ વાંચો….‘હવે SBIનું સપનું પૂરું કરો…’ વિજય માલ્યાએ RCBને અભિનંદન પાઠવ્યા, યુઝર્સે કર્યા ટ્રોલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button