ઉત્તરાખંડના CMની હેલિકોપ્ટર સેવા સંચાલકોને કડક ચેતવણી: બેદરકારી નહીં ચલાવાય…

દેહરાદૂનઃ ચાર ધામ યાત્રાના રૂટ પર હેલિકોપ્ટર સાથે ઇમરજન્સી લેન્ડિંગ અને અકસ્માતોમાં વધારો થતાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સેવા સંચાલકોને જણાવ્યું હતું કે સલામતીના ધોરણો સાથે સમાધાન સહન કરી શકાય નહીં. છેલ્લા એક મહિનામાં ચાર ધામ યાત્રાના માર્ગ પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ અથવા અકસ્માતોની ચાર ઘટનાઓ બની છે. એક અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે.
પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (યુસીએડીએ), હેલિકોપ્ટર સેવા પ્રદાતાઓ અને અન્ય હિસ્સેદારો સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે “સુરક્ષાના ધોરણોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ નહીં કે મહત્તમ સંખ્યામાં મુસાફરોને હેલિકોપ્ટર સેવાઓનો લાભ આપવો.
આપણ વાંચો: ચાલુ ફ્લાઇટમાં ઝઘડ્યું દંપતી, વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
મુસાફરોની સલામતી એ આપણી સૌથી મોટી જવાબદારી છે. તેમણે ભૂતકાળમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોનું ઓડિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો જેથી તેમનું પુનરાવર્તન ન થાય અને ચાર ધામ ખીણોમાં હવામાનની દેખરેખ માટે કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું હતું.
ધામીએ યુસીએડીએને ભવિષ્યમાં ફક્ત ડબલ-એન્જિન હેલિકોપ્ટરનો ઉપયોગ ફરજિયાત કરતી એક મજબૂત નીતિ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. હેલિકોપ્ટરની ફિટનેસ નિયમિતપણે તપાસવી જોઈએ અને હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ માટે એસઓપી જાહેર કરવી જોઈએ. ધામીએ જણાવ્યું હતું કે, હિમાલયના ઉંચાઇવાળા પ્રદેશોમાં ઉડતા હેલિકોપ્ટર એન્જિન માટે નિર્ધારિત સલામતી ધોરણોનું કડક પાલન કરવું જોઈએ.
આપણ વાંચો: લંડનથી મુંબઈ આવતી ફ્લાઇટનું તુર્કીયેમાં ઇમરજન્સી લેન્ડિંગ, 200 થી વધુ ભારતીયો ફસાયા
ધામીએ જણાવ્યું હતું કે, હવામાનમાં ઝડપથી ફેરફાર થવાથી હેલિકોપ્ટર સેવાઓમાં આવતા અવરોધોને ધ્યાનમાં રાખીને સચોટ હવામાન માહિતી અને સલામતી માટે કેદાર ખીણ અને અન્ય તમામ ખીણોમાં હવામાન કેમેરા સ્થાપિત કરવા જોઈએ.
મુખ્યમંત્રીએ યુસીએડીએ અને સંબંધિત હિસ્સેદારોને વૈષ્ણોદેવીમાં સંચાલિત હેલિકોપ્ટપ સેવા મોડેલનો અભ્યાસ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં ફક્ત અનુભવી પાયલટ્સને જ હેલિકોપ્ટર ઉડાવવાની મંજૂરી આપવી જોઇએ.
ધામીએ યુસીએડીએને આગામી 10 વર્ષોમાં રાજ્ય માટે હેલિકોપ્ટર સેવાઓ સુધારવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો કારણ કે પ્રવાસી રાજ્યમાં તેની માંગ વધવાની છે, જે મુશ્કેલ ભૌગોલિક ભૂપ્રદેશમાં સ્થિત તેના ધાર્મિક સ્થળો માટે દેશભરના અને વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે.
7 જૂનના રોજ કેદારનાથ જઈ રહેલા એક હેલિકોપ્ટરમાં ટેકઓફ કર્યા પછી થોડીવારમાં ટેકનિકલ ખામી સર્જાતા શનિવારે રુદ્રપ્રયાગ જિલ્લામાં હાઇવે પર ઇમરજન્સીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. જોકે, તેમાં સવાર તમામ યાત્રાળુઓ અને પાયલટ સુરક્ષિત રહ્યા હતા.