નેશનલ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા પ્રયાસ કરી રહ્યું છે. જેમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત સાથે તણાવ ઓછો કરવા કહ્યું છે.

પાકિસ્તાને 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.

ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. જોકે, વહેલી સવારે થયેલા અનેક વિસ્ફોટો રહેણાંક વિસ્તારોમાં થયા હોવાના અહેવાલ છે. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને અનેક હુમલા કર્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તે બધાને હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત-પાકિસ્તાન તણાવ ઓછો થાય; વ્હાઈટ હાઉસનું નિવેદન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button