ટોપ ન્યૂઝનેશનલ

યુપી એટીએસની પૂછપરછમાં ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાએ કર્યા અનેક ખુલાસા

લખનૌ : ઉત્તર પ્રદેશથી 1500થી વધુ યુવતીના ધર્માંતરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુપી એટીએસે ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે ધર્માંતરણ ગેંગના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને તેની સાથી નીતુ ઉર્ફે નસરીનએ અનેક મોટા ખુલાસા કર્યા છે. પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે છાંગુર બાબા અને નીતુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ હતા. છાંગુર બાબાએ પણ ઘણા દેશો સાથે સંબંધો હોવાની કબૂલાત કરી છે.

પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો
છાંગુર બાબા અને નીતુએ એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમણે આઠ અલગ અલગ બેંકોમાં અનેક ખાતા ખોલાવ્યા હતા. છાંગુર બાબાના બેંક ઓફ બરોડા સહિત ઘણી બેંકોમાં ખાતા હતા. આ ખાતાઓની તપાસ દ્વારા, સો કરોડથી વધુની સંપત્તિના વ્યવહાર સંબંધિત બધી માહિતી પ્રકાશમાં આવી શકે છે. છાંગુર બાબાએ ઘણા દેશો સાથે સંબંધો હોવાની પણ કબૂલાત કરી છે.

છાંગુર બાબાના આઠ બેંકોમાં ખાતા
છાંગુર બાબાએ નેપાળની સરહદે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આ ઉપરાંત, ઘણી વિવાદિત જમીનો પણ નકલી દસ્તાવેજો દ્વારા તેના નામે નોંધાઈ હતી. છાંગુર બાબા લવ જેહાદમાં સામેલ યુવાનોને મોટા ઈનામો આપતો હતો. છાંગુર બાબા વૈભવી હવેલીની અંદર યુવાનોને લવ જેહાદ માટે તાલીમ આપતો હતો.

વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અંગે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, બલરામપુરના રહેવાસી વસીઉદ્દીન ચૌધરીએ વર્ષ 2023માં વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અને નાગપુરના ભારત પ્રતિકાર્થ સેવા સંઘના ઈદુલ ઈસ્લામ આસી વિશે ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. ઈદુલે છાંગુર બાબાને પોતાના સંગઠન ભારત પ્રતિકાર્થ સેવા સંઘના યુપીના પ્રમુખ બનાવ્યા હતા. આ માટે ઔપચારિક પત્ર આપવામાં આવ્યો હતો.

છાંગુર બાબા કેસમાં પોલીસ એક્શનમાં આવી
વસીઉદ્દીન એ વ્યક્તિ છે જેણે નીતુ ઉર્ફે નસરીનની તે ઇમારત બનાવી હતી. જેને તાજેતરમાં વહીવટીતંત્ર દ્વારા જમીન દોસ્ત કરવામાં આવી હતી. આ અંગે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ 2023માં આ ફરિયાદ કરવામાં આવી હતી. આ પત્ર બાદ છાંગુર બાબા કેસમાં પોલીસ એક્શનમાં આવી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

આ પણ વાંચો :‘છાંગુર બાબા’નું ધર્માંતરણ રેકેટ: 1500થી વધુ યુવતીને નિશાન બનાવનાર માસ્ટરમાઇન્ડ કોણ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button