NEET Paper Leak: કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને સરકારનો કર્યો બચાવ, જાણો શું કહ્યું?

પટનાઃ કેન્દ્ર સરકાર નીટ પેપર લીક કેસમાં તમામ હિતધારકો સાથે સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને ભારપૂર્વક જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતા તેમણે આ મુદ્દા પર સંસદની કાર્યવાહી અટકાવવા માટે વિપક્ષની પણ ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો કે તે ખામીવાળી માનસિકતા (ગલત સોચ) પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો: NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ
પાસવાને કહ્યું હતું કે નીટ કેસની તપાસ સંબંધિત એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ મામલો કાયદાની અદાલતમાં પણ છે. તેમ છતાં સરકાર તમામ હિતધારકો સાથે વાતચીત કરી રહી છે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
યુવા નેતાએ કહ્યું કે વિપક્ષ એક ખામીયુક્ત માનસિકતા દર્શાવી રહ્યો છે. જો તે જનતાને લગતા મુદ્દાઓ ઉઠાવવા માંગે છે તો તેણે ગૃહને યોગ્ય રીતે ચલાવવાની ચર્ચાઓ અને ચર્ચાવિચારણામાં ભાગ લેવો જોઇએ. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ તેમના ગૃહ રાજ્ય બિહારના તેમના પ્રથમ પ્રવાસ પર હતા, કારણ કે તેમને આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.