આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

બીજી યાદી માટે બીજેપીની લેટ-નાઈટ મીટમાં મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ મુદ્દે થઇ ચર્ચા

મુંબઇઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત 13 માર્ચ બાદ ગમે ત્યારે થઇ શકે છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી નક્કી કરી રહ્યા છે. એવા સમયે 150 જેટલી લોકસભા બેઠકો માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા માટે ભાજપના નેતા અને ગૃહ પ્રધાન મોડી રાત સુધી છ કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આખરી નિર્ણય ભાજપની ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન લેવામાં આવશે. ભાજપના ઉમેદવારોની બીજી યાદી આ સપ્તાહના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. લગભગ એક સપ્તાહ પહેલા ભાજપે 195 નામો સાથેની પ્રથમ યાદી બહાર પાડી હતી.

આ મોડી રાતની બેઠકમાં આઠ રાજ્યોમાં ભાજપની કોર કમિટીઓએ ભાગ લીધો હતો. હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સીટ પર કયા ઉમેદવાર ઉતારવા એના વિશે વિચાર મંથન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે મળેલી બેઠકમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપની મહારાષ્ટ્ર કોર કમિટી સીટ શેરિંગ ફોર્મ્યુલા પર પહોંચી ગઈ છે. ફોર્મ્યુલા મુજબ ભાજપ 48માંથી 32 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના માટે 12 અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માટે ચાર બેઠકો છોડવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને નાગપુરથી ત્રીજી વખત મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટીના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેને પણ ચૂંટણી પાસ મળી શકે છે. રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેને વર્ધા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ મહારાષ્ટ્ર લોકસભાની લડાઈ માટે લગભગ 10 નવા ચહેરાઓ પસંદ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના તાજેતરના મુંબઈ પ્રવાસ દરમિયાન સાથી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે વાત કરી હતી. તેમણે શિંદે અને પવારને લોકસભાની ચૂંટણીમાં ભાજપની સંભાળ રાખવાની અને બદલામાં ભાજપ રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં સેના અને એનસીપીને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી.

મુખ્ય વિપક્ષ કોંગ્રેસે હજુ ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. ભાજપ સપ્તાહના અંત સુધીમાં 150 નામો સાથેની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા હોવાથી ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા કુલ 345 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. એ જોતા એમ લાગે છે કે ભાજપ નેતૃત્વ ઉમેદવારોને વહેલી તકે ફાઇનલ કરીને પ્રચારનો સમય વધારવાની યોજના ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…